Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં બે વર્ષ બાદ શણગારેલા હાથી, બેન્ડ વાજા સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ.

Share

જેઠ સુદ પુનમના દિવસે દર વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નિકળે છે ત્યારે આજે વહેલી સવારથી જ આ જળયાત્રા નિકળી છે. ખાસ કરીને આ પહેલા કોરોનાના બે વર્ષ વિત્યા છે ત્યારે આ વખતે રથયાત્રા પહેલા બે વર્ષ બાદ જળયાત્રાનું આયોજન કરાયું છે. આજથી 15 દિવસ સુધી ભગવાન જગન્નાથ સરસપુર ખાતે મોસાળની મહેમાનગતી માણશે.

આ વખતે આ જળયાત્રા જમાલપુર મંદિરથી સાબરમતી નદીના આરા સુધી યોજવામાં આવી હતી. ધામધુમથી જળયાત્રામાં શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા જોવા મળી હતી. ખાસ કરીને જળયાત્રા બાદ પણ અન્ય પ્રકારની પરંપરાગત વિધી કરવામાં આવે છે ત્યારે ટૂંક સમયમાં ભગવાનની પૂજા પણ કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાનને ગજવેશનો શણગાર કારાવાશે.

Advertisement

જે રીતે રથયાત્રા નિકળે છે એ જ પ્રકારે ઓછી જનમેદની સાથે આમાં પણ મિની રથયાત્રા જેવો માહોલ જોવા મળે છે ત્યારે આ વખતે પણ આ જળયાત્રાની અંદર અખાડાના કરતબો જોવા મળ્યા હતા. વહેલી સવારથી અમદાવાદનો પૂર્વ વિસ્તારનો આ ભાગ જય રણછોડ માખણચોરના નાદ સાથે ગૂંજી ઉઠ્યો હતો. ભાવી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને મહિલાઓ પણ જળાશયમાં કળશ ભરીને જોવા મળી હતી. પરંપરાગત અનોખો નજારો કોરોનાના બે વર્ષ વિત્યા બાદ આજે જોવા મળ્યો હતો.


Share

Related posts

માંગરોળ : તડકેશ્વરની શિફા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દર્દીએ ખરીદેલ દવામાંથી વાળ નીકળતા દવા કંપનીની બેદરકારી છતી થઇ.

ProudOfGujarat

Breaking News…ભરૂચ-નેશનલ હાઇવે ૪૮ પર અસુરીયા નજીક ટેમ્પાની અડફેટે બે જૈન સાધ્વીઓના મોત…

ProudOfGujarat

વડોદરાના પોઇચા ગામ ખાતે આવેલ એવીડ ઓર્ગેનિકસ કંપનીમાં ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!