Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરથી દેડિયાપાડા બસમાં મુસાફરી કરતા મુસાફરોની દયનિય હાલત.

Share

અંકલેશ્વરથી દેડિયાપાડા બસમા મુસાફરોની દયનિય હાલત જોવા મળે છે. આ બસમાં ખીચોખીચ મુસાફરો ભરેલી બસનું વરવું દ્રશ્ય તંત્ર માટે શરમ ઉપજાવે તેવું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર થી દેડિયાપાડા નાની બેડવાણ સુધી આવતી સાંજે ૬: ૫૦ વાગ્યાની બસમા કાયમ માટે મુસાફરોને ઘણી તકલીફ વેઠવી પડતી હોય છે. મુસાફરોને ઠેક સુધી ખડે પગે ઉભા ઉભા દેડિયાપાડા સુધી આવે છે. તો માર્ગ વિભાગના મંત્રી અને અધિકારીઓને મુસાફરો જણાવે છે કે આવનાર દિવસોમાં બીજી કોઈ બસની સુવિધા કરવી જોઈએ. આ બસમાં અપડાઉન કરતા નોકરિયાત કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો મુસાફરી કરતા હોય છે. પૈસા ખર્ચીને બે કલાક ઉભા રહેવાની શારીરિક સજા ભોગવતા મુસાફરોને તકલીફ ના વેઠવી પડે એ માટે આ રૂટ પર વધુ બસો મુકવાની માંગ ઉઠી છે. ઉભા ઉભા મુસાફરી કરતા લોકો માટે તંત્ર માટે આ શરમજનક ઘટના કહેવાય.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

મુંબઈથી અમદાવાદ શતાબ્દી એકસપ્રેસ ટ્રેનમાં કેન્ટીન સંચાલક દ્વારા મુસાફરોને જે ભોજન પીરસાયું તેની ફૂડ પોઇઝનિંગની અસર થતા અનેક મુસાફરોની તબિયત લથડી હતી.

ProudOfGujarat

રિપીટર વિદ્યાર્થીઓ સાથે બોર્ડમાં આ વર્ષે 2 થી 3 લાખ વિદ્યાર્થીઓનો વધારો થશે.

ProudOfGujarat

નડિયાદ રેલ્વે સ્ટેશન પર બેભાન મુસાફરને રેલ્વે કર્મી એ કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!