Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં શિક્ષિકાના બંધ મકાનને તસ્કરો એ નિશાન બનાવી 1.80 લાખનો મુદ્દામાલ લઈ ફરાર.

Share

નડિયાદ શહેરના ઉતરસંડા રોડ ઉપર આવેલ દેવમોટેલ નજીક અરમાન ગ્રીન સોસાયટીના મકાન નંબર 12 મા રહેતા સોનલબેન ફાલ્ગુનભાઈ મિસ્ત્રી પોતે સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જ્યારે ફાલ્ગુનભાઈ પોતે અમદાવાદ AMC માં નોકરી કરે છે. ફાલ્ગુનભાઈ ત્યાં જ રહેતા હતા અને રજાઓના સમયમાં તેઓ પોતાની પત્નીને મળવા નડિયાદ આવતા જતા હતાં. શની-રવિની રજા હોવાથી ફાલ્ગુનભાઈ નડિયાદ પોતાના મકાને આવ્યા હતા અને વડોદરા મૂકામે રહેતા દોસ્તને મળવા પોતાની પત્ની સાથે વડોદરા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાના તાળા તોડી તસ્કરોએ મકાનના પ્રવેશ કર્યો હતો. બેડરૂમ તથા ગેસ્ટરૂમમા મૂકેલ તીજોરીના તાળા તોડી તેમાંથી રોકડ રૂપિયા અને સોના, ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.

રવિવારે સાંજે સોનલબેન અને ફાલ્ગુનભાઈ બન્ને પરત નડિયાદ પોતાના ઘરે આવતાં ઘરના મુખ્ય દરવાજા ખુલ્લો જોતા તેઓ ચોંકી ગયા હતા. ઘરનો સામાન વેરવિખેર જોઈ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ કરતા મકાનમાંથી રોકડ રૂપિયા અને સોના, ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.80 લાખનો મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે સોનલબેન મિસ્ત્રીએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : કોલેજ ઓફ એગ્રીકલ્ચર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

નડિયાદ : કઠલાલના રૂઘનાથપુરામા ઘરના છત પર કપડા સૂકવવા જતાં વીજ વાયરને અડકી જતાં બે મહિલાઓનાં મોત

ProudOfGujarat

ભરૂચમાં સરકારની છૂટછાટ વચ્ચે કેટલાક વેપારીઓએ દુકાનો ખોલી તો કેટલાક મુંઝવણમાં મુકાયા, દુકાનો ખુલી બજારો બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!