Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેતા હાલાકી.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઇન પર આવતા ગામોને જોડતા રસ્તાઓ પર ગરનાળા બનાવેલા છે. ઘણા ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઇ રહેતું હોઇ ગ્રામ્ય જનતાને આવજાવ કરવામાં તકલીફ ભોગવવી પડે છે. લાંબા સમયથી આ સમસ્યા પ્રવર્તમાન હોવા છતાં તેના નિવારણ માટે કોઇ સઘન પગલા ભરાતા નથી, તેથી જનતાની હાલાકિ યથાવત રહે છે. આ ગરનાળાઓ પૈકી કેટલાક ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઇ રહેતું હોઇ તેના નિકાલ માટે કોઇ અસરકારક આયોજન કરવાની જરૂર છે. ત્યારે રેલવે દ્વારા તાકીદે આ બાબતે યોગ્ય પગલા લેવાય તે ઇચ્છનીય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : ONGC ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ ફિટ કરી ક્રૂડ ઓઇલ ચોરીનો પર્દાફાશ…જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં અભ્યાસ માટે આવતા છાત્રો પાસે કરાવાઈ છે સફાઈ કાર્ય, વિદ્યાર્થીઓએ ખોલી પોલ.

ProudOfGujarat

કેવડિયા કોલોની ખાતે યોજાશે DGની બેઠક, ગૃહમંત્રી રાજનાથ સિંહ રહેશે હાજર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!