Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેતા હાલાકી.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઇન પર આવતા ગામોને જોડતા રસ્તાઓ પર ગરનાળા બનાવેલા છે. ઘણા ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઇ રહેતું હોઇ ગ્રામ્ય જનતાને આવજાવ કરવામાં તકલીફ ભોગવવી પડે છે. લાંબા સમયથી આ સમસ્યા પ્રવર્તમાન હોવા છતાં તેના નિવારણ માટે કોઇ સઘન પગલા ભરાતા નથી, તેથી જનતાની હાલાકિ યથાવત રહે છે. આ ગરનાળાઓ પૈકી કેટલાક ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઇ રહેતું હોઇ તેના નિકાલ માટે કોઇ અસરકારક આયોજન કરવાની જરૂર છે. ત્યારે રેલવે દ્વારા તાકીદે આ બાબતે યોગ્ય પગલા લેવાય તે ઇચ્છનીય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદા નદી પર 8-લેન એક્સ્ટ્રાડોઝ્ડ બ્રિજ તૈયાર: દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ

ProudOfGujarat

રમજાન ઈદ અને પરશુરામ જયંતિ નિમિત્તે ગોધરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

રાજ્યસભાનાં સાંસદ અહેમદ પટેલ વાંદરી ગામનાં લોકોની વ્હારે આવ્યા નાંદોદ ધારાસભ્ય પી.ડી વસાવાને તાત્કાલિક 500 થી વધારે કિટો જીવન જરૂરિયાત મંદ લોકો માટે રાહત સામગ્રી મોકલાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!