Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ ડિવીઝન દ્વારા તહેવારોને લીધે વધારાની બસો દોડાવાશે.

Share

ચરોતરમાં આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વને લઇને પોતાના ભાઇને રાખડી બાંધવા માટે જતા બહેનો તેમજ તીર્થસ્થળોએ દર્શન માટે જતા તેમજ અન્ય મુસાફરોને ધ્યાને લઇને નડિયાદ ડિવીઝન દ્વારા તમામ ૧૧ ડેપોમાંથી મુસાફરોની માંગ અને ધસારાને ધ્યાને લઇને સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ડાકોર, પાવાગઢ, અંબાજી સહિત સૌરાષ્ટ્રના વધુ એસટી રૂટો દોડાવવાનુ આયોજન કરાયું છે.

ખેડા જિલ્લામા શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ધાર્મિક તહેવારોની સિઝન શરૂ થઇ છે. જેમા રક્ષાબંધન, જન્માષ્ટમી, પારણા નોમ સહિતના તહેવારો ટાણે સ્થાનિક તેમજ અન્ય જિલ્લાના મુસાફરોને એસટી બસની સુવિદ્યા ઉપલબ્ધ બની રહે તે માટે નડિયાદ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળના આણંદ, નડિયાદ, પેટલાદ, ખંભાત, બોરસદ, માતર, ઠાસરા, ડાકોર, કપડવંજ, ડાકોર, ખેડા ડેપોમાંથી સુરત, અમદાવાદ, વડોદરા, દાહોદ, રાજકોટ, ડાકોર, પાવાગઢ, અંબાજી, શંખલપુર બહુચરાજી, સોમનાથ, દ્વારકા, ભાવનગર, જુનાગઢ સહિતના સ્થળોએ મુસાફરોને સુવિઘા વર્તાઇ રહે તે માટે વધારાના એસટી રૂટો દોડાવાશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

છોટાઉદેપુર એલસીબી એ તેજગઢ લીમડી બજાર પાસેથી વિદેશી દારુ ઝડપી લીધો.

ProudOfGujarat

વિસાવદરના સરસઈ ગામે વાડી માં પ્રેમી પંખીડાનો ગળા ફાંસો ખાઈ આપઘાત

ProudOfGujarat

માંગરોળ-ઉંમરપાડા તાલુકામાં કોરોના વાયરસ દર્દીઓની ગામનાં મંત્રી ગણપત વસાવાએ આરોગ્ય અધિકારીની ટીમ સાથે મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!