Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રા યોજાઇ.

Share

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ મહોત્સવ નિમિતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદ શહેરમાં બુધવારે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજ દેસાઇના વડપણ હેઠળ સવારે નગરપાલિકા ખાતેથી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં મુખ્ય દંડક પંકજ દેસાઇ, કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ, કાઉન્સિલર, સંગઠનના પદાધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ યાત્રા નગરપાલિકાથી સ્ટેશન રોડ, સંતરામ રોડ થઇને સરદાર પટેલના સાહેબના જન્મસ્થાને પહોંચીને સૌએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ યાત્રાને જોતાં સમગ્ર શહેર આજે રાષ્ટ્રભકિતમાં તરબતર બની ગયું હતું. આ યાત્રાએ હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર દિમાગ તિરંગાની ઉક્તિને ચરિતાર્થ કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને રાષ્ટ્રભાવના એ જીવનશૈલી છે તે આજે નડિયાદના નગરજનોએ સાબિત કરી દીધું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વોર્ડ નંબર 9 માં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગોનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

નર્મદાના કેવડિયામાં એસ.આર.પી ના વધુ 3 કોરોના પોઝિટિવ, કોરોનાનો દર્દીઓ ના ટોટલ આંકડો 88 પર પહોંચ્યો

ProudOfGujarat

પાણી અછતગ્રસ્ત વિસ્તારો માટે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજના: ખેત તલાવડીમાં મફત જીઓમેમ્બ્રેન સુવિધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!