Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પશ્ચિમ વિસ્તારની વિવિધ લઘુમતી સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

Share

હાલ દેશ ભરમાં આઝાદીના ૭૫ વર્ષને અમૃત વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, દેશ ભરમાં વિવિધ સ્થળેથી અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહું છે, ગુજરાત રાજ્યમાં પણ હર ઘર તિરંગા અભિયાનમાં લોકો જોડાયા છે, ભરૂચ જિલ્લા ખાતે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે.

આજરોજ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહંમદપુરા ખાતેથી વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ટ્રસ્ટ દ્વારા આયોજીત તિરંગા યાત્રા નીકળી હતી જેમાં મુસ્લિમ સમાજના વિવિધ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી. મહંમદપુરા સર્કલથી પાંચબતી સુધી યોજાયેલ આ તિરંગા યાત્રાએ શહેરના માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું જંગી શક્તિપ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રનો ત્રિ દિવસીય આતમ સુખ દશાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નો ભવ્ય શુભારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!