Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરાના રાણયા શિહોર રોડ પર વાહનની ટક્કરે એકનું મોત.

Share

ઠાસરાના ભદ્રાસામાં રહેતા ૩૮ વર્ષીય નિવૃત જવાનનો રાણિયા-શિહોરા રોડ પર પેટ્રોલપંપ નજીક અકસ્માત સર્જાતા મોત નીપજયું છે.
કંપનીમાંથી સીક્યુરીટીની નોકરી કરી પરત આવી રહ્યા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. ઠાસરાના ભદ્રાસામાં રહેતા સુરેશભાઇ ઉં.વ.૩૮ આર્મીમાંથી વર્ષ-૨૦૧૯ માં નિવૃત થઇ વડોદરા કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. તા.૪ સપ્ટેમ્બરના રોજ સુરેશભાઇ સાંજના છ વાગ્યે બાઇક લઇ મંજૂસર કંપનીમાં નોકરી પર ગયા હતા. તા ૫ સપ્ટેમ્બરના રોજ બપોરના તેઓ પરત આવી રહ્યા હતા તે સમયે ઠાસરાના રાણીયા-શિહોરા જવાના રોડ પર પેટ્રોલપંપ નજીક અજાણ્યા વાહન ચાલકે સુરેશભાઇના બાઇકને અડફેટે મારી હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું મોત નિપજયું હતું. આ બનાવની જાણ પરિવારજનોને કરતાં બનાવ સ્થળે પહોંચ્યા હતા. ત્યા સુરેશભાઇ મૃત હાલતમાં પડયા હતા.રાવજીભાઇ પરમારની ફરિયાદ આધારે ડાકોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ભાલોદ ગામે ઘરની આગળ અડાળી બનાવવા બાબતની તકરારમાં ચાર સામે ફરિયાદ.

ProudOfGujarat

પાલેજ ના વેપારી ને આપેલા ચેક પરત ફરતા યુવકને ૧ વર્ષની કેદ

ProudOfGujarat

લીંબડી પાવર હાઉસ ખાતે આવેલ નવા સ્મશાનગૃહ ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા વૃક્ષારોપણ સાથે સ્મશાનગૃહની સાફ સફાઈ કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!