Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરાના રાણયા શિહોર રોડ પર વાહનની ટક્કરે એકનું મોત.

Share

ઠાસરાના ભદ્રાસામાં રહેતા ૩૮ વર્ષીય નિવૃત જવાનનો રાણિયા-શિહોરા રોડ પર પેટ્રોલપંપ નજીક અકસ્માત સર્જાતા મોત નીપજયું છે.
કંપનીમાંથી સીક્યુરીટીની નોકરી કરી પરત આવી રહ્યા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. ઠાસરાના ભદ્રાસામાં રહેતા સુરેશભાઇ ઉં.વ.૩૮ આર્મીમાંથી વર્ષ-૨૦૧૯ માં નિવૃત થઇ વડોદરા કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. તા.૪ સપ્ટેમ્બરના રોજ સુરેશભાઇ સાંજના છ વાગ્યે બાઇક લઇ મંજૂસર કંપનીમાં નોકરી પર ગયા હતા. તા ૫ સપ્ટેમ્બરના રોજ બપોરના તેઓ પરત આવી રહ્યા હતા તે સમયે ઠાસરાના રાણીયા-શિહોરા જવાના રોડ પર પેટ્રોલપંપ નજીક અજાણ્યા વાહન ચાલકે સુરેશભાઇના બાઇકને અડફેટે મારી હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું મોત નિપજયું હતું. આ બનાવની જાણ પરિવારજનોને કરતાં બનાવ સ્થળે પહોંચ્યા હતા. ત્યા સુરેશભાઇ મૃત હાલતમાં પડયા હતા.રાવજીભાઇ પરમારની ફરિયાદ આધારે ડાકોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં મોપેડ ઉપર પિતાની નાનકડાં બાળક સાથે જોખમભરી મુસાફરી…

ProudOfGujarat

રાજ્યમાં 5 જિલ્લા મથકે સરકારી લાયબ્રેરીને સ્માર્ટ બનાવાશે: સરકાર ફાળવશે એક-એક કરોડ..!

ProudOfGujarat

રિલાયન્સએ ગૂગલની સાથે મળીને લોન્ચ કર્યો જિયોફોન નેક્સ્ટ, જાણો ક્યારથી શરૂ થશે વેચાણ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!