Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરાના રાણયા શિહોર રોડ પર વાહનની ટક્કરે એકનું મોત.

Share

ઠાસરાના ભદ્રાસામાં રહેતા ૩૮ વર્ષીય નિવૃત જવાનનો રાણિયા-શિહોરા રોડ પર પેટ્રોલપંપ નજીક અકસ્માત સર્જાતા મોત નીપજયું છે.
કંપનીમાંથી સીક્યુરીટીની નોકરી કરી પરત આવી રહ્યા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. ઠાસરાના ભદ્રાસામાં રહેતા સુરેશભાઇ ઉં.વ.૩૮ આર્મીમાંથી વર્ષ-૨૦૧૯ માં નિવૃત થઇ વડોદરા કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. તા.૪ સપ્ટેમ્બરના રોજ સુરેશભાઇ સાંજના છ વાગ્યે બાઇક લઇ મંજૂસર કંપનીમાં નોકરી પર ગયા હતા. તા ૫ સપ્ટેમ્બરના રોજ બપોરના તેઓ પરત આવી રહ્યા હતા તે સમયે ઠાસરાના રાણીયા-શિહોરા જવાના રોડ પર પેટ્રોલપંપ નજીક અજાણ્યા વાહન ચાલકે સુરેશભાઇના બાઇકને અડફેટે મારી હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈનું મોત નિપજયું હતું. આ બનાવની જાણ પરિવારજનોને કરતાં બનાવ સ્થળે પહોંચ્યા હતા. ત્યા સુરેશભાઇ મૃત હાલતમાં પડયા હતા.રાવજીભાઇ પરમારની ફરિયાદ આધારે ડાકોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સની 2 જી આવૃત્તિ 9 ટકાનો ઉછાળો દર્શાવે છે.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે યાર્ડમાં ટ્રેનનાં ડબ્બા પર ચઢી ગયેલા યુવાનને કરંટ લાગતા દાઝી જતાં ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

ProudOfGujarat

માંગરોલ પોલીસ સ્ટેશનના ઘી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમના પાંચ ગુનામાં સંડોવાયલો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી સુરત એસ.સો.જી.પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!