Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટીમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

Share

ઉપરવાસમાંથી વરસાદી માહોલ ના પગલે સરદાર સરોવર નર્મદા ડેમ માં સતત પાણીની આવક નોંધાઈ રહી છે,જેને પગલે ડેમ ની જળ સપાટી માં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે,જે બાદ તંત્ર દ્વારા ડેમ ના તમામ ૨૩ દરવાજા ખોલી નર્મદા નદીમાં 2.50 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે,નર્મદા નદીમાં છોડવામાં આવેલ પાણી ન પગલે ભરૂચ નજીક નર્મદા નદી ની જળ સપાટી માં વધુ એક વાર વધારો નોંધાયો છે,ભરૂચ ના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ની જળ સપાટી રવિવારે સવારે ૧૮ ફૂટ આસપાસ પહોંચી હતી જે તેના ૨૨ ફૂટના વોર્નિંગ લેવલ થી માત્ર ૪ ફૂટ નીચે વહી રહી છે,

નર્મદા નદી ની જળ સપાટી વધતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સૂચન કરાયું છે. નર્મદા નદીમાં ડેમના 23 દરવાજા વધુ 23 સેમી ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા છેલ્લા એક મહિનાથી ખુલ્લા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમના 23 દરવાજા વધુ 23 સેમીથી ખોલી શનિવારે રાતે 9 કલાકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.

Advertisement

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના 30 દરવાજા પાણીની આવક મુજબ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ખોલ બંધ કરવામાં આવી રહ્યા છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા 1.15 મીટર ખોલી નર્મદા નદીમાં 2.15 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.ડેમની સપાટી 15 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભરાયા બાદ આજે ફરીથી બે દિવસ રહીને 138.68 મીટરે પોહચી હતી. જે ઘટીને બપોરે 138.67 મીટર થઈ હતી. રીવર બેડ પાવરહાઉસના પણ તમામ 6 ટર્બાઇનો ધમધમતા હોય વીજ ઉત્પાદન બાદ નદીમાં 43,649 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરી રહ્યા છે.

દરમિયાન ઉપરવાસ મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાધીશોએ શનિવારે રાતે 9 કલાકથી વધુ પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઈનું ભરૂચ જિલ્લાની વિવિધ 16 સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન.

ProudOfGujarat

ભરૂચ વકીલ મંડળની ચૂંટણીનું પરીણામ જાહેર, પ્રદ્યુમનસિંહ સિંધા 11મી વાર પ્રમુખ બન્યા

ProudOfGujarat

ભરૂચ : રેલ્વે ફ્રેઇટ કોરીડોરમાં ગરીબ ખેડૂતોનાં સંપાદન થયેલ જમીનના કેસો ઝડપથી નિકાલ કરવા જીલ્લા કલેકટર થકી રાજ્ય સરકારને આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!