Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ તાલુકાના સલુણવાટા સીમમાં ફાર્મહાઉસમાં ચોરી થતાં ચકચાર.

Share

નડિયાદ તાલુકાના ખુશાલપુરા સલુણવાંટા ગામની સીમમાં રહેતા જૈમીનકુમાર બિપીનચંદ્ર પટેલ પોતે કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેઓનુ અહીયા સીમમાં ફાર્મ હાઉસ આવેલું છે. જૈમીનકુમાર પરિવાર સાથે આ ફાર્મ હાઉસના મકાનમાં રહે છે. ગત ૨૫ મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના આઠથી દસ વાગ્યાની વચ્ચે તેમના ઘરમા ચોરીના બનાવથી ચકચાર મચી છે. તેઓ પોતાના પરિવાર સાથે રાત્રિના જમણવારમાં વ્યસ્ત હતા. આ દરમિયાન તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ લોકરની અંદરથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 1 લાખ 95 હજારની ચોરી કરી ફરાર થયા છે. ફાર્મ હાઉસ પર લગાવેલ સીસીટીવીમાં જોતા અજાણા બે ઈસમો દેખાયા હતા.

જૈમીનકુમાર લગભગ દસ વાગ્યાની આસપાસ પોતાના ઉપરના માળે આવેલ રૂમમાં જતાં દરવાજો અંદરથી બંધ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે તેઓ સમજ્યા કે શરત ચૂકથી કોઈ કારણોસર આ દરવાજો અંદરથી બંધ થઈ ગયેલ હોય તેમ લાગે છે. અન્ય ચાવી વડે દરવાજો ખોલી જોતા રૂમમાં તિજોરીનો સામાન વેરણછેરણ પડેલો હતો. ઉપરાંત પાછળની બારીનું લોક પણ તૂટેલી હાલતમાં હતું. જૈમીનકુમારે પોતાના ફાર્મ હાઉસ પર લગાવેલ સીસીટીવીમાં જોતા અજાણ્યા બે ઈસમો ઉપરોક્ત સમયગાળા દરમિયાન નિસરણી વડે મકાનના પાછળની બારીનું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી આચરી હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં આજે ફરિયાદ આપી છે. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર નર્મદા બ્રિજ ટોલનાકા નજીક થયેલી બોલાચાલીમાં ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડયો છે…

ProudOfGujarat

ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : વાલીયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!