Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ ખોડિયાર મંદિર સહિત માઇ મંદિરોમાં દુર્ગાષ્ટમી નિમિતે દર્શનાર્થીઓ ઉમટયા.

Share

આસો નવરાત્રિ આઠમ એટલે દુર્ગાષ્ટમી. આ દુર્ગાષ્ટમી પર્વનું વિશેષ માહાત્મય હોય છે. નડિયાદ શહેરના ખોડિયાર મંદિર સહિત માઇમંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓ ઉમટી પડયા પડયા હતા. મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ પર્વ નિમિતે ઠેર ઠેર હવન, નવૈધ, નવચંડીયજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નગરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં સવારથી દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. માતાજીના દર્શનનો લાભ લઇને ભકતોએ ધન્યતા અનુભવી હતી. ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા ઠાસરા સહિત સમગ્ર જિલ્લાના માઇમંદિરમાં અષ્ટમી પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આમ આદમી પાર્ટી દ્વારા લારીધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

ProudOfGujarat

ભરૂચમાં હિટ એન્ડ રન અકસ્માતમાં વૃદ્ધનું મોત, પુત્રે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

વડોદરામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્રની પૂર્વ તૈયારીઓની કલેકટરે સમીક્ષા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!