Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા રાવણનું દહન કરાયું.

Share

નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં વિજયા દશમીના પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદમાં પંજાબી સમાજ દ્વારા બપોરે સંતરામ મંદિરના પટાંગણમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

પંજાબી સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં દાંડિયા રાસ, વિવિધ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. ઘોડાવાળા રથ પર સવાર થઈ યુદ્ધ લડતાં હોય તેવું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ડુમરાલ બજાર, સમડી ચકલા, દેસાઈવાળી થઈ ચકલાસી ભાગોળ થઇ હેલીપેડ પર પહોંચી હતી.
સાંજના સાત વાગ્યાના સુમારે નડિયાદ હેલીપેડના ગ્રાઉન્ડમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

નડિયાદમાં ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા ભારે ભીડ જોવા મળી હતી. આદિવસે શુભ મુહૂર્તના લોકોને નવા વાહનોની ખરીદી કરી હતી. લોકોએ શુભ મુહૂર્તમાં વાહનોની ખરીદી તેમજ પૂજા કરવામાં આવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાંચ વર્ષ પુરા કરતા છ વિદ્યા સહાયકોને પુરા પગાર ધોરણના ઓર્ડર એનાયત…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં સાયખા ગામ ખાતે આવેલ સાયખા SEZ ની જય કેમિકલ કંપનીમાં સવારે ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન પ્લાન્ટમાં આગ લાગી જતાં ગ્રામજનોમાં ભાગદોડ મચી ગઈ હતી.

ProudOfGujarat

ઝઘડીયા : ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!