Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા રાવણનું દહન કરાયું.

Share

નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં વિજયા દશમીના પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદમાં પંજાબી સમાજ દ્વારા બપોરે સંતરામ મંદિરના પટાંગણમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

પંજાબી સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં દાંડિયા રાસ, વિવિધ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. ઘોડાવાળા રથ પર સવાર થઈ યુદ્ધ લડતાં હોય તેવું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ડુમરાલ બજાર, સમડી ચકલા, દેસાઈવાળી થઈ ચકલાસી ભાગોળ થઇ હેલીપેડ પર પહોંચી હતી.
સાંજના સાત વાગ્યાના સુમારે નડિયાદ હેલીપેડના ગ્રાઉન્ડમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

નડિયાદમાં ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા ભારે ભીડ જોવા મળી હતી. આદિવસે શુભ મુહૂર્તના લોકોને નવા વાહનોની ખરીદી કરી હતી. લોકોએ શુભ મુહૂર્તમાં વાહનોની ખરીદી તેમજ પૂજા કરવામાં આવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આમોદ પોલીસ મથક ખાતે નોંધાયેલ ટ્રક ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલાયો જાણો કેવી રીતે.

ProudOfGujarat

ભરૂચ-ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકી વીજ વિજિલન્સ-ઝડપાઇ લાખ્ખોની વીજ ચોરી-જાણો ક્યા ક્યા ગામો માં પડ્યા દરોડા…

ProudOfGujarat

પાવાગઢમાં વાહનોનીઆજ મધ્યરાત્રિથી ‘નો એન્ટ્રી’ : ભક્તો માટે દોડશે 24 કલાક બસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!