Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળામાં દશેરાના બીજે દિવસે રાવણ દહનની અનોખી પ્રથા.

Share

સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસે થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસે રાવણનું દહન થાય છે પણ આ વર્ષોની પરંપરા છે.

સંસ્કાર યુવક મંડના પ્રમુખ મહેશભાઇ કા.પટેલે જણાવ્યુ હતુ કે અમારા કાછીયાવાડ વિસ્તારમાથી દર વર્ષે નીકળતી રાવણની શોભાયાત્રા નીકળે છે અને રાવણના પૂતળાનુ દહન પણ થાય છે. રામે રાવણનો વધ દશેરાના દિવસે કર્યો હતો પણ હિન્દૂ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે રાત્રે અગ્નિદાહ આપી શકાય નહીં તેથી બીજે દિવસે એટલે કે અગિયારસના દિવસે રાજપીપળામા રાવણ દહન કરવાની પ્રથા છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસના દિવસે રાવણનું દહન થાય છે. આ વર્ષે પણ અગિયારસે રાજપીપળામા દશેરાના બીજે દિવસે રાવણનું દહન થયુ હતુ. જેમા રાજપીપળામાં રાવણની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, અને ગામમા ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. જેમાં દર વર્ષે રાજપીપળામાં ૧૫ ફૂટ ઉચા રાવણને શણગારી ટ્રેકટરની ટ્રોલી પર સજાવી આખા ગામમા ફેરવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, અને શોભાયાત્રા ગામમાં ફરીને મોડી સાંજે કુંભારવાડમા નીચે પહોચી આતશબાજી સાથે રાવણના પૂતળાનુ દહન કરાયું હતુ.

તિલકવાડા ટાઉનમા વિજયા દશમી દશેરાના દિવસે મોગલાઈ માતાના મંદીર ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થયો હતો. જેમા આશરે ૫00 થી ૭00 જેટલી જનમેદની ભેગી થયેલ હતી. સદર કાર્યક્રમ દરમ્યાન પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ હતો.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા : કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

અમદાવાદમાં 582 CRના ખર્ચે બની રહી છે 17 માળની હોસ્પિટલ, PM મોદી કરશે ઉદ્દઘાટન..

ProudOfGujarat

ભરૂચના પરદેશી વાડ વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓએ CAA અને NRC નો વિરોધ કર્યો .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!