Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ગામમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારો રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠયા.

Share

રવિવાર તા. 9 ઓક્ટોબરે મુસ્લિમોના આખરી પયગમ્બર સાહેબનો જન્મ દિવસ છે. જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદ તરીકે ધામધૂમથી ઉજવે છે. જેની ઉજવણી મુસ્લિમ કેલેન્ડરના ત્રીજા મહિના રાબીઉલ અવ્વલની પહેલી તારીખથી કરાય છે. આ પર્વની તડામાર તૈયારીઓના ભાગરૂપે ગામના તમામ ધાર્મિક સ્થળો, ગામના તમામ મુખ્ય માર્ગો અને દરેક ગલી મહોલ્લા રંગબેરંગી લાઈના શણગાર સાથે રવિવારનો જાણે આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા હોય. આ તમામ સજાવટ નબીપુર ગામની યુવા લાઈટ ડેકોરેશન કમિટી અને ગામના ઉત્સાહી યુવાનો એ કરી છે. આ પર્વના દિવસે સમસ્ત ગામના સહયોગથી સવારે મિલાદુન્નબીની યાદમાં ગામમાં જુલુસનું આયોજન કરાયું છે અને ત્યારબાદ નિયાઝનું આયોજન કરાયું છે. આ પર્વમાં એકતા અને ભાઈચારો જળવાય તેની સંપૂર્ણ તકેદારી રખાશે.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના સારિંગની સીમમાં આવેલી હઝરત પરદેશી પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ કરાઈ.

ProudOfGujarat

અમદાવાદ-એએમસીના બે હેલ્થ કર્મચારી પર હુમલાનો મામલો-નરોડા પોલીસે એક આરોપીની કરી ધરપકડ…..

ProudOfGujarat

પી.એમ મોદીએ 3 નવા કૃષિ કાયદા રદ કરવાનો કર્યો નિર્ણય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!