Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ મંદિરે દેવ દિવાળીની ઉજવણી કરાઈ.

Share

નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી ૫.પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી છે.

મંગળવારે સંધ્યા ટાંણે મંદિરના પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠતાં ભવ્ય નજારો જોવા મળ્યો છે. તો બીજી બાજુ મંદિર પરિસર ‘જય મહારાજ’ના ભક્તોથી ગૂંજી ઊઠ્યું હતું. ૧ લાખ ૨૫ હજારના દીપમાળાઓથી મંદિર સજી ઉઠ્યું છે. જેમાં તેલના, દિવેલના અને મીણના કોડિયાનો ઉપયોગ કરાયો છે. મંદિરમાં ભવ્ય રોશની થતાં સમગ્ર વાતાવરણને સૌ ભાવિક ભક્તોએ આ પળને પોતના મોબાઇલમાં કેપ્ચર કરી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2283 થઈ.

ProudOfGujarat

રાજપીપલા ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૧.૫૮ કરોડના કેશ ક્રેડિટ લાભોનું કરાયું વિતરણ.

ProudOfGujarat

પદ્મ ભૂષણ ગાયિકા શારદા સિન્હા : રોહિત શર્માએ મહારાણીમાં તેની સંસ્કૃતિની લડાઈને કેપ્ચર કરવાનું અદ્ભુત કામ કર્યું છે.”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!