Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાટણના કમલીવાડા ગામે તસ્કરો રૂ.64 હજારની ચોરી કરી ફરાર.

Share

પાટણ તાલુકાના કમલીવાડા ગામે શુક્રવારે રાત્રે તસ્કારો ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. ખેડૂત પરિવાર નીચેના માળે ઘરમાં સુતો હતો ત્યારે તસ્કરોએ બીજા માળના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરી 24500 ના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂ.40000 ની ચોરી કરી હતી. બે મકાનમાં ફોગટ ફેરો પડ્યો હતો. બાલીસણા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

કમલીવાડા લક્ષ્મીપુરા ગામે રહેતાં રામાભાઇ કાશીભાઈ પટેલ પરિવાર શુક્રવારે રાત્રે બીજા માળે આવેલા મકાનને તાળું મારી નીચે સુતા હતા. ત્યારે બીજા માળના દરવાજાનું તાળું તોડી તસ્કરો તિજોરીમાંથી રોકડ રૂ.40000, અડધા તોલાની સોનાની બે બુટીઓ કિ.રૂ.20000, 1 ગ્રામની સોનાની નાકની ચુની કિં. રૂ.1000, ચાંદીની પગની 2 શેરો રૂ.3000, બે નંગ પગની શેરો રૂ.500 ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે રામાભાઇ કાશીરામ પટેલે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

રામાભાઇ કાશીભાઈ પટેલએ જણાવ્યું હતું કે પરિવાર નીચે સૂતો હતો ત્યારે તસ્કરોએ નીચેના ઘરનો દરવાજો બહારથી બંધ કર્યો હતો અને ઉપરના ઘરનો દરવાજાનું હળો વચ્ચેથી બટકી નાખ્યો હતો પણ કોઈ અવાજ આવ્યો ન હતો. તે રાત્રે અમારા ગામમાં અન્ય બે મકાનોમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો પણ તે ઘર બંધ હાલતમાં હોવાથી કંઈ રોકડ કે દાગીના મળ્યા ન હતા.


Share

Related posts

રાજપીપળાનાં મુસ્લિમ અગ્રણી અને પાલિકનાંના પૂર્વ ઉપ પ્રમુખ સ્વ. યુસુફભાઈ સોલંકીનાં પુત્ર મંજુરઇલાહીનું પ્રચાર દરમિયાન ઠેર-ઠેર સ્વાગત કરયું.

ProudOfGujarat

વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલ માં ડોક્ટરો અને અઘિકારી ની લાલીયાવાડી બેદરકારી થી દર્દીઓ ને પડતી હાલાકી ને લઇને વિરમગામ પત્રકાર સંઘ દ્રારા મુખ્યમંત્રી ને લેખિત મા રજુઆત કરાઇ.

ProudOfGujarat

ગાંધીજીની જન્મ ભૂમી અને કૃષ્ણ સખા સુદામાજીની પવિત્ર ભૂમિ તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત પોરબંદરનું એરપોર્ટ શોભાના ગાંઠીયા સમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!