Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચૂંટણી પક્રિયા બેલેટ પેપરથી કરવા તેમજ ભરૂચ નારાયણ વિદ્યાલયનું બુથ અન્ય સ્થળે ખસેડવા અપક્ષ ઉમેદવાર સુરેશભાઇ વસાવાની રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલ સુરેશભાઇ વસાવાએ મુખ્ય ચૂંટણી અધિકારીને એક પત્ર લખી રજુઆત કરી છે, સુરેશભાઈ વસાવા એ પત્રમાં જણાવ્યું છે કે ચૂંટણી તટસ્થ અને નિષ્પક્ષ થાય એ અનિવાર્ય છે, અને લોકશાહીના જતન માટે ચૂંટણી પક્રિયા યોગ્ય અને પ્રમાણિક પણે થાય તે માટે બેટલથી ચૂંટણી યોજાય તો તેમાં સાચું અને નિષ્પક્ષ પરિણામ આવી શકે છે.

વધુમાં તેઓએ લખ્યું છે કે સમગ્ર દેશમાં અને રાજ્યમાં EVM મશીનમાં ગેરરીતિની અસંખ્ય ફરિયાદ થાય છે, અને EVM હંમેશા શંકાના દાયરામાં રહે છે, વળી સમગ્ર વિશ્વ આ EVM મશીનને તરછોડી ચૂક્યું છે, તેથી વધુ તો જે દેશે EVM ની શોધ કરી તે પણ EVM માં ગડબડી થઇ શકે છે તેમ સ્વીકારી EVM ની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી યોજી રહ્યું છે, તો ભારતમાં EVM શા માટે..? જેથી EVM મુક્ત ચૂંટણી યોજાય તેવી તેઓએ માંગ કરી છે.

Advertisement

સાથે જ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલય બુથ જે રાખવામાં આવ્યો છે તે સંવેદનશીલ તો છે જ અને દરેક ચૂંટણીમાં ત્યાં બોગસ મતદાન અને તકરારના બનાવો બનતા હોય છે, જેથી આ બુથ બંધ કરવામાં આવે અને બીજી જગ્યાએ ખસેડવામાં આવે તેવી પણ માંગ ઉચ્ચારી છે.


Share

Related posts

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નશીલી કફ સિરપની બોટલો ઝડપી બે શખ્સોની અટકાયત કરી

ProudOfGujarat

રાજપીપળા: નાંદોદ તાલુકાના તોરણા ગામે કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

ProudOfGujarat

ભરૂચ શહેર અને જીલ્લા માં રખડતા ભિક્ષુકો અને અસ્થિર મગજ ના લોકો ને વાળ.દાઢી કરી તેઓને નવડાવી ગંદા કપડા બદલી સમાજ માં માનવતા ની મહેક પ્રસરાવી હતી…….જાણો વધુ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!