Proud of Gujarat
INDIAFeaturedGujarat

મુંબઈની કંપની સાથે કોપર સ્ક્રેપના વેપારીએ 11 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ

Share

શહેરના ચાંદખેડા વિસ્તારમાં કોપર સ્ક્રેપના વેપારી સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી. આરોપીએ બાકીની 11 લાખની રકમનો ચેક આફ્યો હતો.પરતું ખાતામાં બેલેન્સ ન હોવાને કારણે તે ચેક બાઉન્સ થયો હતો. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મુંબઈ સ્થિત એસ્ટોન પ્રોસેસર્સ પ્રા.લિમિટેડ કંપની, જે કોપર, એલ્યુમિનિયમ જેવી મેટલનું લે-વેચ કરે છે. જેના માર્કેટિંગ મેનેજર અર્જુન પટેલે ચાંદખેડાના શાશ્વત સોનીએ પોતાની કંપનીના 15 ટન કોપરનો સ્ક્રેપ વેચવા અર્જુન પટેલને મેસેજ અને કોલથી વાત કરી હતી.

Advertisement

શાશ્વત પટેલે કોપરનો સ્ક્રેપ લેવા અર્જુન પટેલને દસક્રોઈના ચાંદીયેલ સ્થિત અંશ રિયાલિટી કંપનીના ગોડાઉન પર ઓક્ટોબર મહિનામાં બોલાવેલા અને 7 ટન સ્ક્રેપ વેચવા તૈયારી બતાવી હતી. કોપર સ્ક્રેપ કિલોના 603નો ભાવ નક્કી કરી કનફર્મેશન મેલ અને પરચેશ ઓર્ડર પણ આપેલો હતો. એડવાન્સ પેટે વાતચીત મુજબ 33,90,701 અર્જુન પટેલે શાશ્વત સોનીના એસબીઆઈ એકાઉન્ટમાં જમા આપ્યા હતા. આમ છતાં શાશ્વત સોનીએ ખાતામાં પૈસા જમા આવ્યા નથી કહી માલની ગાડી મોકલી ન હતી.

જો કે, તેણે ખાતામાં પૈસા ભરયાની સ્લીપ પણ બતાવી હતી. પરતું તે પૈસા ખાતામાં જમ થયા ન હતા. ત્યાર બાદ તેણે બીજા દિવસે પણ તેના નાનીનું મૃત્યુ થયું હોવાનું બહાનું નીકાળ્યું હતું. જેથી તેને શંકા જતા તે કંપનીમાં પુછપરછ કરાવી હતી જયા તેને જાણવા મળ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે


Share

Related posts

ભરૂચ : દહેજ રોડ પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોને પડતી હાલાકી, તંત્ર હજુ સુધી નિંદ્રામાં..!!

ProudOfGujarat

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા : સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે યુવા મોરચાની મિટિંગ મળી.

ProudOfGujarat

ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!