Proud of Gujarat
GujaratFeaturedINDIA

તવાંગમાં તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, ચીન બોર્ડર પર આજે ગરજશે સુખોઈ-રાફેલ

Share

અરુણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ સ્થિતિ તંગ છે. આ બધાની વચ્ચે, ભારતીય વાયુસેના ઉત્તરપૂર્વમાં ચીન સરહદ નજીક ગુરુવારથી બે દિવસ (15 અને 16 ડિસેમ્બર) યુદ્ધાભ્યાસ કરશે. આ યુદ્ધાભ્યાસમાં રાફેલ, સુખોઈ સહિત દેશના લગભગ તમામ ફ્રન્ટલાઈન ફાઈટર જેટ પોતાની તાકાત બતાવશે. મળતી માહિતી અનુસાર, આ કવાયતનો હેતુ ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા અને પૂર્વોત્તરમાં સૈન્ય સજ્જતાનું પરીક્ષણ કરવાનો છે.

માહિતી અનુસાર, આ યુદ્ધાભ્યાસ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણની પહેલાથી જ નક્કી છે. તેને તવાંગના યાંગત્સેમાં થયેલી અથડામણ સાથે કોઈ લેવાદેવા નથી. આ યુદ્ધાભ્યાસમાં સુખોઈ-30MKI, રાફેલ સહિત તમામ ફ્રન્ટલાઈન ફાઈટર એરક્રાફ્ટ સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુદ્ધાભ્યાસમાં ભારતના તમામ ફ્રન્ટલાઈન એરબેઝ અને કેટલાક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો પણ ઉપયોગ કરવામાં આવશે.

Advertisement

2020 માં ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં સરહદી વિવાદ થયો હતો. ત્યારથી, ભારતીય સેના અને વાયુસેનાએ છેલ્લા બે વર્ષથી અરુણાચલ અને સિક્કિમમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઉચ્ચ સ્તરીય ઓપરેશનલ તૈયારી જાળવી રાખી છે. ગયા અઠવાડિયે પણ ભારતીય વાયુસેનાએ તવાંગમાં LAC નજીક ચીનની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ફાઇટર જેટ તૈનાત કર્યા હતા. વાસ્તવમાં, 9 ડિસેમ્બરે તવાંગમાં અથડામણ પહેલા, ચીની ડ્રોન 2-3 વખત LACની નજીક આવ્યા હતા, ત્યારબાદ ભારતીય વાયુસેનાના સુખોઈ-30 એરક્રાફ્ટે તેમને ખદેડયા હતા.

ક્યાં-ક્યાં ઉડાન ભરશે ફાઈટર જેટ?

વાયુસેનાનો આ યુદ્ધાભ્યાસ તેજપુર, ચાબુઆ, જોરહાટ અને હાશિમારા એરબેઝ પર યોજાશે. આ યુદ્ધાભ્યાસ એરફોર્સના ઈસ્ટર્ન કમાન્ડ દ્વારા કરવામાં આવશે. પૂર્વોત્તર કમાન્ડ દ્વારા ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદો પર નજર રાખવામાં આવે છે. તેજપુર અને ચબુઆમાં સુખોઈ-30ની સ્ક્વોડ્રન છે, જયારે હાશિમારામાં રાફેલની સ્ક્વોડ્રન છે. એટલું જ નહીં, આ બધાની વચ્ચે ભારતને આ અઠવાડિયે છેલ્લું રાફેલ પણ મળવાનું છે.

ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ખદેડયા

આ પહેલા સોમવારે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે 9 ડિસેમ્બરે તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા હતા. જેમાં બંને પક્ષના કેટલાક જવાનોને ઈજા થઈ છે. આ પહેલા જૂન 2020માં ગાલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે સંસદમાં આ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકોએ બહાદુરીથી ચીની સૈનિકોને ભગાડ્યા. તેમણે જણાવ્યું કે 09 ડિસેમ્બર 2022ના રોજ પીએલએના સૈનિકોએ અરુણાચલના તવાંગ સેક્ટરના યાંગત્સેમાં એલએસી પર અતિક્રમણ કરીને એકતરફી સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો. આપણી સેનાએ દૃઢ નિશ્ચય સાથે ચીનના આ પ્રયાસનો સામનો કર્યો. આ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા. ઝપાઝપી પણ થઈ હતી. આ અથડામણમાં બંને પક્ષના કેટલાક જવાનો ઘાયલ થયા હતા. પરંતુ હું ગૃહને જણાવવા માંગુ છું કે અથડામણમાં આપણા કોઈપણ સૈનિકનું મૃત્યુ થયું નથી કે કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.


Share

Related posts

રાજપીપલા : નર્મદાના ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતના દરજ્જાની માંગ : માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા. 48 નજીક ટ્રકના કેબિનમાં અગ્મય કારણોસર આગ ભભુકી…

ProudOfGujarat

ભરૂચ : ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ …!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!