Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્વછતા અભિયાન હાથ ધરાયું.

Share

રાજપીપલાની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્વછતા અભિયાન આરંભાયુ છે. ડિસ્ટ્રીક્ટ જજ એ આર પટેલનું આ સૂચન હતું જેને સૌએ આવકાર્યું છે. બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું છે કે કોર્ટમાં આવતા તમામ અસીલો, કોર્ટના કમર્ચારી, વકીલમિત્રોના કોર્ટના મુખ્ય દ્રારમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોર્ટ અને કોર્ટ પરિસરની સ્વચ્છતા જળવાય એ માટે લીધેલ આ પગલાંને વંદના ભટ્ટે આવકાર્યું છે. તેમના જણાવ્યા અનુસાર પાન પડીકી અન્ય ચીજથી કોર્ટમાં ગંદકી કરનાર ને 500/- દંડ કરવામાં આવશે.

નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્વછતા જળવાઈ રહે તે હેતુથી કોર્ટમાં આવતા તમામ અસીલો, કોર્ટના કમર્ચારી, વકીલમિત્રોના કોર્ટના મુખ્ય દ્રારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પાન પડીકી જપ્ત કરવામાં આવી છે. અન્ય ચીજથી કોર્ટમાં ગંદકી કરનાર ને 500/- દંડ ની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. આ તબક્કે એ આર ડિસ્ટ્રિક્ટ જજ પટેલે પણ પોતાનું ચેકિંગ કરાવ્યૂ હતું. જોકે કોર્ટે સ્વછતા અભિયાનનું આ એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. અન્ય કચેરીઓ, સંસ્થાઓએ પણ આવું સ્વછતા અભિયાન અપનાવવા જેવું ખરું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડિયા : પોલીસ દળ વર્ગ-૩ ની સીધી ભરતીમાં સંવિધાનિક અનામત બેઠકોમાં અન્યાય બાબતે ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

ભરૂચની બેન્ક સાથે ૧ કરોડની ઠગાઈ કેસમાં ૨૧ વર્ષે બે આરોપી ઝડપાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!