Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરકારનો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી ચીન સહિત આ દેશોમાંથી આવનારા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ જરૂરી

Share

માંડવિયાએ જણાવ્યું હતું કે આ સ્થળોએથી આવતા મુસાફરોએ ફ્લાઇટમાં ચડતા પહેલા એર સુવિધા પોર્ટલ પર આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ કોવિડ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. તેમણે કહ્યું કે મુસાફરીના 72 કલાકની અંદર કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે હાલમાં ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ મુસાફરોએ ફ્લાઈટમાં ચઢતા પહેલા RT-PCR રિપોર્ટ સબમિટ કરવો જરૂરી છે.

નોંધપાત્ર વાત એ છે કે, કેટલાક દેશોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયા બાદ ભારત સરકારે એલર્ટ જાહેર કર્યું છે અને કોવિડ માર્ગદર્શિકાને કડક બનાવી છે. આ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisement

ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં 24 કલાકમાં કોરોના ચેપના 268 નવા કેસ નોંધાયા છે, જે પછી સક્રિય કેસ વધીને 3,552 થઈ ગયા છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોનાનો દૈનિક ચેપ દર 0.11 ટકા નોંધાયો છે.

આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી 40 દિવસ ભારત માટે નિર્ણાયક છે, કારણ કે જાન્યુઆરીમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળી શકે છે. એક અધિકારીએ જણાવ્યું કે, એવું વલણ રહ્યું છે કે કોવિડ રોગચાળાની નવી લહેર પૂર્વ એશિયામાં દસ્તક આપ્યાના લગભગ 30-35 દિવસ પછી ભારતમાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે જો કોવિડ રોગચાળાની નવી લહેર આવશે તો પણ મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘણો ઓછો હશે.


Share

Related posts

સ્પેનની મહિલાએ અમદાવાદના મેઘાણીનગરમાં ત્યજી દેવાયેલી બાળકી દત્તક લીધી

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામે મોબાઇલ પર સટ્ટાબેટિંગના આંકડા લખાવતો યુવક ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : નવનિર્મિત નર્મદામૈયા બ્રીજના અંકલેશ્વર તરફ સ્ટ્રીટ લાઈટો બંધનો વિડિયો વાઇરલ : વાહનચાલકોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!