Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવણી નિમિત્તે ગુતાલની સરકારી શાળા ખાતે વ્યાખ્યાન યોજાયું.

Share

ખેડા જિલ્લાના એસ.પી. રાજેશ ગઢિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુતાલના સંયુક્ત ઉપક્રમે જીવન ઘડતર વ્યાખ્યાન માળાનો ૩૨ મો મણકો યુવા દિને યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે રાજ્યના જાણીતા યુવા વક્તા કુ.રાધા મહેતાએ “શ્રદ્ધાના શું હોય પુરાવા!” વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. કુ.રાધા મહેતાએ ભારતીય સંસ્કૃતિમાં ભગવત ગીતાના સિદ્ધાંતોની મહત્તાથી લઈને સામાન્ય માણસના હૃદયમાં રહેલી શ્રદ્ધા વિશે વાત કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખેડા જિલ્લાના એસ.પી. રાજેશ ગઢિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જાણીતા સંચાલક અને યુવા લેખક દધીચિ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સંયોજક પારસ દવે દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ ફર્સ્ટ રીએક્શન આપ્યું …! જાણો શું કહ્યું ..?

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ખાતે શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ ની મુન્શી( મનુબરવાલા) મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે મુન્શી સ્કૂલ ખાતે શાળા ના વાર્ષિક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!