Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના લહેરીપુરામાં ત્રણ માળની દુકાનમાં ભીષણ આગ

Share

વડોદરાના લહેરીપુરા રોડ પર આવેલી ત્રણ માળની દુકાનમાં ગઈ રાતે લાગેલી ભીષણ આગ આજે સવારે કાબુમાં આવી હતી.

ન્યાય મંદિરથી બરાનપુરા તરફ જવાના લહેરીપુરા રોડ પર બેંક ઓફ બરોડાની પાસે મહેશ વિદ્યુત ઇન્ટિરિયલ ગેલેરી નામની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા છવાયા હતા. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગનું રૌદ્ર સ્વરૂપ જોતાં ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરી 15 ફાયર ફાઈટર કામે લગાવ્યા હતા.

Advertisement

લગભગ પાંચથી છ કલાકની જહેમત બાદ સવારે આગ કાબુમાં આવી હતી. આગમાં ઇલેક્ટ્રીક, સેનિટરી અને હાર્ડવેરનો સામાન ખાખ થઈ ગયો હતો. આગલું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આહીર સમાજ ની APL 19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝાડેશ્વર બેટ ઇલેવન ટીમ વિજેતા બની

ProudOfGujarat

વાગરા તાલુકામાં આવેલ પણીયાદરા ગામ ખાતે ઉગ્ર બન્યું આંદોલન……પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસનાં સેલ છોડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!