Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક પાછળ કાર ઘુસી જતાં બે ના ઘટનાસ્થળે મોત

Share

રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટ- જામનગર હાઈવે પર મોડીરાત્રે ચાલુ ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યકિતના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વૃદ્ધ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે કારમાં સવાર બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

પાલેજ નજીકમાં આવેલાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં સજ્જડ લોકડાઉનની શરૂઆત જિલ્લા આરોગ્યની ચાર ટીમોએ વલણ ખાતે સર્વે કામગીરી હાથ ધરી છે.

ProudOfGujarat

અંકલેશ્વર : ગામડાંઓ સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવા માટે એચડીએફસી બેંકે ગુજરાતમાં તેની અત્યાધુનિક ‘બેંક ઑન વ્હિલ્સ’ વાનનું અનાવરણ કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!