Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના નોબલ માર્કેટ પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક ખાતે છાશવારે ઔધોગિક એકમો હોય કે ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ગત વર્ષે અને ચાલુ વર્ષે પણ અનેક સ્થળે આગ લાગવાના બનાવો બની ચુક્યા છે, તેવામાં વધુ એક બનાવ ગત રાત્રીના સમયે અંકલેશ્વર ખાતે બનવા પામ્યો હતો.

અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 ને અડીને આવેલ નોબલ માર્કેટ પાસેના એક ભંગારના ગોડાઉનમાં ગત રાત્રીના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી, આગની જવાળાઓના ગોટેગોટા ઉપસી આવ્યા હતા જે બાદ થોડા સમય માટે હાઇવે ઉપર પણ ટ્રાફિકની સ્થિતિનું સર્જન થયું હતું, ઘટનાના પગલે સ્થાનિકોના ટોળા જામ્યા હતા.

નોબલ માર્કેટ ખાતે ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા હોવાની જાણ અંકલેશ્વર ડી.પી.એમ.સી ના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનો લાયબંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગની જવાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લેવામાં આવી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના નેશનલ હાઇવે વિસ્તારને અડીને આવેલા અન્સાર માર્કેટ, નોબલ માર્કેટ જેવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અનેક ગોડાઉનો ધમધમી રહ્યા છે જ્યાં છાશવારે આ પ્રકારે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે તો કેટલાક ગોડાઉનોમાં તો કેમિકલ યુક્ત પદાર્થ હોવાના કારણે પણ આગ વધુ પ્રસરતી હોય છે તેવામાં તંત્ર દ્વારા પણ આ અંગે તપાસ કરવાની તાતી જરૂર જણાય છે.


Share

Related posts

પંચમહાલ : 136 કરોડથી વધુનાં ખર્ચે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું આવતીકાલે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ…

ProudOfGujarat

ભરૂચ : ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ …!

ProudOfGujarat

ભરૂચની સરકારી કચેરીઓમાં કોરોનાનાં નિયમોનું પાલન આખરે કયારે ? પ્રજાની ઉમટતી ભીડ ચિંતાજનક….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!