Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

લારીવાળાઓએ ડસ્ટબિન રાખવા નગરપાલિકા એ તાકીદ કરી છે.

Share

ભરૂચ નગરપાલિકાના મુખી અધિકારીશ્રી જણાવે છે કે, આથી ભરૂચ શહેર વિસ્તારમાં ફરતી શાકભાજી, ફળાફળાદી ઈત્યાદી લારી માલિકો ને જણાવવાનું કે ઘન કચરાના વ્યવસ્થાપન નિયમો 2016 તા.08/04/2016 ના રોજ શહેરી વિકાસ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નોટીફીકેશન ની કલમ – 4 માં જણાવ્યા અનુસાર કચરો ઉટપન્ન કરાનારની જવાબદારી કચરાનો નિકાલ કરવાની તેમજ કચરાનો પધ્ધતિસર નિકાલ કરવાનો હોય છે. જેથી તમામ લારી માલિકોએ પોતાની લારી ઉપર ફરજીયાત ડસ્ટબીન રાખવું અને કચરો ડસ્ટબિનમાં જ નાંખવો અને ડોર ટુ ડોર ના વાહનને અથવા નાગર પાલિકા દ્વારા મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાંખવો અને ડોર ટુ ડોર ના વાહનને અથવા નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાંખવાની નોંધ લેવી.

આ મુજબની સૂચના અમલ નહી કરનાર લારી માલિકો પાસે દંડ / વહીવટી ચાર્જ/ લારી જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને અનિવાર્ય સંજોગોમાં પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે જેની દરેક લારી માલિકોએ નોંધ લેવી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ નાં સંક્રમણને અટકાવવા કલેકટરે નવું જાહેરનામુ બહાર પાડયું.

ProudOfGujarat

પાનોલી જીઆઇડીસી વિસ્તારના રહેવાસીઓએ વાયુ પ્રદુષણ અટકાવવા જીપીસીબી સમક્ષ કરી માંગ

ProudOfGujarat

ભાજપા મહિલા મોરચા દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવશે : ડો. દીપિકા સરવરડા.

ProudOfGujarat
error: Content is protected !!