Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના લિભેટ ગામે વિશ્વ જળ દિવસ નિમિત્તે ડીસીએમ કંપની દ્વારા તળાવનું લોકાર્પણ કરાયું

Share

ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ ડીસીએમ શ્રી રામ આલ્કલી એન્ડ કેમિકલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાત જેવી કે શિક્ષણ આરોગ્ય પાણીની જરૂરિયાતોને પૂરી કરવા સીએસઆર એક્ટિવિટી હેઠળ ગ્રાન્ટ ફાળવી વિકાસના કામો કરવામાં આવે છે. આજરોજ ૨૧ મી માર્ચ 20૨૩ વિશ્વ જળ દિવસના ઉપક્રમે ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા નિર્મિત લિભેટ ગામના તળાવના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝઘડિયા સ્થિત ડિસીએમ શ્રીરામ લિમિટેડના સામાજિક જવાબદારી અંતર્ગત લિભેટ ગામ ખાતે નવા તળાવના નિર્માણ ઉપરાંત અન્ય એક તળાવનું રિચાર્જ તેમજ હેન્ડ પંપ રિચાર્જ કરવામાં આવેલ હતો. આ તળાવમાં અંદાજિત ૬૧ લાખ લિટર વરસાદી પાણીનો વાર્ષિક સંગ્રહ કરી શકાશે તેટલી તેની ક્ષમતા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જીપીસીપીના આર.ઓ વિજયભાઈ રાખોલીયા ડીસીએમના યુનિટ એડ બી એમ પટેલ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરનાં વાતાવરણમાં અચાનક પલટો, કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી…

ProudOfGujarat

ગોધરા : JEE અને NEET ની પરીક્ષાઓ મુલતવી રાખવા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતીની માંગ.

ProudOfGujarat

ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં આવતીકાલથી પાણી પુરવઠો આ સમયે આપવામાં આવશે, વાંચો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!