Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રનાં રાયગઢમાં બસ ખીણમાં ખાબકતાં 8 મુસાફરોના મોત

Share

મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસ ખીણમાં ખાબકતાં આઠ લોકોના મોત થયા હતા અને લગભગ 25 થી 30 લોકો ઘાયલ થયા હતા. રાયગઢના એસપીએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક માર્ગ અકસ્માત જૂના મુંબઈ-પુણે હાઈવે પર થયો હતો. આ હાઈવે પર બોરઘાટ ખાતે ખાનગી બસ ખીણમાં ખાબકી ગઈ હતી.

આ બસ પૂણેથી મુંબઈ આવી રહી હતી. બસમાં કુલ 40-45 મુસાફરો હતા. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવવાને કારણે આ મોટો અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ટીમ અને રાયગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

30 સપ્ટેમ્બર, 2021 ના રોજ સમાપ્ત થયેલા અર્ધ વર્ષની કામગીરી – આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ.

ProudOfGujarat

ઉકાઈ માઇનોર કેનલોનું પાણી સત્વરે ચાલુ કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત.

ProudOfGujarat

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, બારડોલી જળબંબાકાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!