Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રનાં રાયગઢમાં બસ ખીણમાં ખાબકતાં 8 મુસાફરોના મોત

Share

મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસ ખીણમાં ખાબકતાં આઠ લોકોના મોત થયા હતા અને લગભગ 25 થી 30 લોકો ઘાયલ થયા હતા. રાયગઢના એસપીએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક માર્ગ અકસ્માત જૂના મુંબઈ-પુણે હાઈવે પર થયો હતો. આ હાઈવે પર બોરઘાટ ખાતે ખાનગી બસ ખીણમાં ખાબકી ગઈ હતી.

આ બસ પૂણેથી મુંબઈ આવી રહી હતી. બસમાં કુલ 40-45 મુસાફરો હતા. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવવાને કારણે આ મોટો અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ટીમ અને રાયગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

બી.ટી.પી ના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ ઉમેદવારી પત્રક ભરતા ગઠબંધનનનો રાજકીય ધારણા પર પૂર્ણવિરામ.જોકે હજી પણ કોઈ પણ રાજકીય ખેલ થાય તેવી સંભાવના ….

ProudOfGujarat

ભરૂચ : વલસાડ જીલ્લાનાં વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં નવનિયુકત પ્રમુખ અને ઉપપ્રમુખે આજથી પોતાની સત્તા પર બિરાજમાન થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!