Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રનાં રાયગઢમાં બસ ખીણમાં ખાબકતાં 8 મુસાફરોના મોત

Share

મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસ ખીણમાં ખાબકતાં આઠ લોકોના મોત થયા હતા અને લગભગ 25 થી 30 લોકો ઘાયલ થયા હતા. રાયગઢના એસપીએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક માર્ગ અકસ્માત જૂના મુંબઈ-પુણે હાઈવે પર થયો હતો. આ હાઈવે પર બોરઘાટ ખાતે ખાનગી બસ ખીણમાં ખાબકી ગઈ હતી.

આ બસ પૂણેથી મુંબઈ આવી રહી હતી. બસમાં કુલ 40-45 મુસાફરો હતા. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવવાને કારણે આ મોટો અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ટીમ અને રાયગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરાની યુવતીએ અદાણી નાઈટ અલ્ટ્રા મેરેથોનમાં ગર્લ્સ કેટેગરીમાં મેળવ્યો વિજય.

ProudOfGujarat

અર્થ ગ્લોબલે ભારતમાં પ્રથમ ખાનગી ક્રેડિટ રોકાણ શરૂ કર્યું; પ્રોજેક્ટ વેચાણ સાથે જોડાયેલા નવીન 4-વર્ષીય NCDs માં રૂ. 700 કરોડનું રોકાણ કર્યું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નવા ૬ કોરોના પોઝિટીવ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૨૬૯ થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!