Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રનાં રાયગઢમાં બસ ખીણમાં ખાબકતાં 8 મુસાફરોના મોત

Share

મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં બસ ખીણમાં ખાબકતાં આઠ લોકોના મોત થયા હતા અને લગભગ 25 થી 30 લોકો ઘાયલ થયા હતા. રાયગઢના એસપીએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક માર્ગ અકસ્માત જૂના મુંબઈ-પુણે હાઈવે પર થયો હતો. આ હાઈવે પર બોરઘાટ ખાતે ખાનગી બસ ખીણમાં ખાબકી ગઈ હતી.

આ બસ પૂણેથી મુંબઈ આવી રહી હતી. બસમાં કુલ 40-45 મુસાફરો હતા. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવવાને કારણે આ મોટો અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ટીમ અને રાયગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

રાજયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર..

ProudOfGujarat

રાજ્ય તલાટી મંડળે તમામ તલાટીઓને સચેત રહી સરકારી તંત્રની સુચનાનો અમલ કરવા આદેશ : બે કરોડ રૂપિયા મંડળ આપશે.

ProudOfGujarat

ભરૂચ : લ્યો બોલો તંત્રએ ધ્યાન ન આપતા આખરે ભરૂચનાં આ સેવા ભાવિ ગૃપે કરી નાખ્યું રસ્તા ઉપર એક સુંદર કાર્ય…!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!