Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગની ગોકુલધામ ટીચર કોલોનીમા આવેલ દવાખાનામા તસ્કરોએ હાથફેરો કરી ફરાર

Share

નેત્રંગ – ડેડીયાપાડા રોડ પર આવેલ ગોકુલધામ ટીચર કોલોનીમા રહેતા પરિમલ રણછોડભાઈ પટેલ મુળ રહે. તળાવ ફળીયુ પીઠા તા, જી. વલસાડ કે જેઓ ઉપરોક્ત કોલોનીમા બે ગાળાનુ પાકુ મકાન ધરાવે છે. એક ગાળામા તેઓ ફેમીલી સાથે રહે છે. અને બીજા ગાળામા પોતે ખાનગી દવાખાનુ ચલાવે છે. તા,૧૮ એપ્રિલના રોજ ૨ થી ૩ ના સમયગાળા દરમ્યાન પોતાના દવાખાને બીમાર વ્યકિતને દવાખાને કેટલાક લોકો લઈને આવ્યા હતા, તેની સારવાર કર્યા બાદ દવાખાનુ બંધ કરી ડોક્ટર બાજુમા જ પોતાના ઘરે સુઈ ગયા હતા. સવારના સાડા સાત સાડા આઠના સમયગાળા દરમ્યાન દુધવાળો દુધ આપવા માટે આવેલ તેણે જોયેલું કે ડૉકટરના ધરના દરવાજો આગળથી બંધ હોય, જે દુધવાળો ખોલીને અંદર દુધ આપવા માટે ગયો તે સમયે દુધવાળા એ જણાવેલ કે તમારો દરવાજો આગળના ભાગેથી બંધ હતો, આ સાંભળી ડૉક્ટરે બાજુમા આવેલ પોતાના દવાખાનામા નજર કરતા ત્યા દરવાજાના નકુચા તુટેલા હતા, અંદર જઇને જોતા અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો. ટેબલના ખાનામા મુકેલ પાકીટમા રૂપિયા ત્રીસ હજાર રોકડા તેમજ બેંક ઓફ બરોડાનુ એટીએમ કાર્ડ, પાનકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, ડૉક્ટરી આઇ કાર્ડ તસ્કરો ઉઠાવી રફચક્કર થઇ ગયા હતા.

ચોરીની ફરીયાદ પરિમલ ડૉક્ટરે નેત્રંગ પોલીસ સ્ટેશનમા નોધવતા વધુ તપાસ પીએસઆઇ કે, એન, વાધેલાએ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાનાં શહેરા ખાતે કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નવનિર્મિત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનુ ભવ્ય આયોજન

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાંતિધામ સ્મશાન ભૂમિને સાત સગડીઓ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!