Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 19 થઇ જયારે કુલ સંખ્યા 352 પર પહોંચી.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તા 7/7/2020 ના રોજ ભરૂચ જિલ્લામાં વધુ 19 કોરોના દર્દી જણાયા હતા. જે ચિંતા જનક બાબત છે. તે સાથે ભરૂચ નગરમાં પણ કોરોનાનાં કેસો વધતા જઈ રહ્યા છે. ભરૂચમાં વધુ 13 દર્દી કોરોના પોઝિટિવ જણાયા હતા જયારે અંકલેશ્વરમાં વધુ 3 દર્દી કોરોના પોઝિટિવ જણાયા હતા જ્યારે આમોદ, હાંસોટ અને ઝઘડિયામાં એક એક એમ કુલ 19 દર્દી ઉમેરાતા અત્યાર સુધી કોરોના પોઝિટિવ કુલ દર્દી 352 નોંધાયા હતા. કોરોનાના આજે ઉમેરાયેલા 19 દર્દીઓમાં ભરૂચમાં ગ્રામ્ય વિસ્તારમાં 9 જયારે નગરમાં વિસ્તારમાં 4, આમોદમાં ગ્રામ્ય વિસ્તારમાં 1, અંકલેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારમાં 1, નગર વિસ્તારમાં 3, જયારે ઝઘડિયા ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ છે. આમ આજે નવા નોંધાયેલ 19 દર્દીઓ પૈકી 13 દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે. જયારે 6 દર્દીઓ શહેરી વિસ્તારમાં આવેલ છે.

Advertisement

Share

Related posts

બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ મૈસુરીયા સમાજ જોગ.

ProudOfGujarat

આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓ સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

ProudOfGujarat

12 મે ના ગાંધીનગર મુકામે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અધિવેશનમાં 1 લાખથી વધુ શિક્ષકો જોડાશે : કિરીટ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!