Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજવા અંતગર્ત મીટીંગ યોજાઈ

Share

જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજવા અંતગર્ત મીટીંગ યોજાઈ તા.૨૯ એપ્રિલ ૨૦૨૩ ના દિવસે લેવાનાર ”જવાહર નવોદય પરીક્ષા (JNV)” ની પરીક્ષા ખેડા જિલ્લામાં આવેલ કેન્દ્રો ખાતે લેવાનાર છે. ખેડા જિલ્લામાં કુલ ૩૧ સેન્ટર ખાતે ૩૦૯ બ્લોકમાં ૭૨૬૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા આપશે.

આ બેઠકમાં જે.એન.વી પરીક્ષાનું સફળ સંચાલન બાબતે સી.એલ.ઓ, બી.એલ.ઓ, કેન્દ્ર સંચાલકોને પરીક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિક નિવાસી કલેકટર  બી. એસ. પટેલ એ જણાવ્યું કે પરીક્ષામાં કોઈપણ અગવડતા ન રહે તે માટે ખાસ ધ્યાન દોરવું. ઉપરાંત,  બી.એસ. પટેલે જેએનવી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ બેઠકમાં પ્રાચાર્ય અનીલ કામલે, તેમજ પરીક્ષા માટે નિમણુંક કરવામાં આવેલા સી.એલ.ઓ, બી.એલ.ઓ, કેન્દ્ર સંચાલક ઉપસ્થિત રહ્યા હતા.   

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

લોક ડાઉન દરમિયાન રીંછવાણીનાં ડોકટર દ્વારા 100 જેટલા જરૂરતમંદ વ્યક્તિઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : 3 વર્ષ પૂર્વે ખાણ ખનીજ ખાતાનાં અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા જાણો પછી શું થયું ?

ProudOfGujarat

યે અબ્દુલ્લા કબ સુધરેગા, ગણતરીની મીનીટોમાં મોટરસાયકલ ચોરીને અંજામ આપી પલાયન થતો અબ્દુલ્લા આખરે ફરી એકવાર ભરૂચ એ ડિવિઝન પોલીસની પકડમાં આવી પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!