Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાણીપુરા ગામે સરકારી વિનયન કોલેજ ખાતે વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમ યોજાશે.

Share

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ઝધડીયા તાલુકા સંયોજક અને જિલ્લા સંયોજક દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે સરકારી વિનયન કોલેજમાં વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લાભ લેવા હાંકલ કારેલ છે. ગુજરાત સરકાર દ્વારા જી ૨૦ યુથ સંવાદ કાર્યક્રમ ગુજરાતભરમાં થવાનું આયોજન થયું છે ત્યારે અભૂતપૂર્વ રીતે રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના સરકારી વિનયન કોલેજ રાણીપુરા ખાતે મહાનુભાવોની હાજરીમાં વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમ યોજાશે. ભરૂચ જિલ્લા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સંવાદ કાર્યક્રમ ઉત્સાહ સાથે આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા માં વાય-૨૦ યુવા સંવાદ કાર્યક્રમ મહાનુભાવોની હાજરીમાં યોજાશે. તા.૫.૫.૨૩ ને શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે સરકારી વિનયન કોલેજ રાણીપુરા ખાતે યોજાશે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભરૂચ જિલ્લા ઝગડીયા તાલુકાના સંયોજક દ્વારા બને મંડળના સદસ્યો ઉત્સાહ સાથે વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, મોટી સંખ્યામાં યુવાનો, જાગૃત નાગરિકો અને બહેનો તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મહાનુભાવોની હાજરીમાં યોજાશે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી


Share

Related posts

પંચમહાલ : SMA-1 નામની બિમારીથી ધૈયરાજસિંહને મદદ માટે ધારાસભ્ય અને સાંસદે CM અને PM ને લેખિત રજુઆત કરી.

ProudOfGujarat

કોસંબા વિસ્તારમાં નવનિર્મીત ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી કેટનરી કોપર કેબલ” ની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

ભરૂચ અને વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠે નીતિ નિયમો નેવે મૂકી રેતી ખનન ચાલતું હોવાના કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાના આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!