Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેમિકલના કારનામાએ અંકલેશ્વર જીઆઈડીસીના માર્ગો પર ફરતા શ્વાનને લાલ કરી મુક્યા

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવેલ જીઆઈડીસી વિસ્તાર પર્યાવરણ માટે કેટલી હદે ઘાતક સાબિત થઈ રહ્યો છે તેના જીવતા જાગતા પુરાવા ત્યાંના રસ્તાઓ ઉપર રખડતા શ્વાન જોઈ એ તો બધું જ સમજી જવાય તેમ છે, એક તરફ પ્રદુષિત જળથી માછલીઓના મોત અમરાવતી નદીમાં થતા હોવાનું સામે આવી રહ્યું છે તો બીજી તરફ માર્ગો પરના પશુઓ પણ કેમિકલની ચૂંગાલમાં કલરીંગ અવતારમાં જોવા મળી રહ્યા છે.

અંકલેશ્વરમાં પ્રદુષણ મામલે અવારનવાર જાગૃત નાગરિકો સહિત વિપક્ષ દ્વારા હલ્લાબોલ કરવામાં આવતા હોય છે તેમ છતાં પ્રદુષણની માત્ર ઠેરની ઠેર જ જોવા મળતી આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પ્રદુષણ ઓકતા ઉધોગો તંત્રની નજરમાં ચઢતા હોય છે તો તેઓને પણ માત્ર ક્લોઝર નોટિશો પૂરતી જ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું કહેવાય રહ્યું છે, તેવામાં વધતા પ્રદુષણના કારણે હવે પશુઓ પોતાનું રંગ બદલી જોખમી રીતે જીઆઈડીસી વિસ્તારમાં ફરતા નજરે પડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણની થીમ પર લેસર શો કરાતા પ્રવાસીઓ ખુશખુશાલ.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર રોડ પરની પુષ્પકુંજ સોસાયટી ખાતે હાઇ વોલ્ટેજ ના કારણે વીજ ઉપકરણો ફૂંકાયા લોકોમાં આક્રોશ

ProudOfGujarat

રાજપીપળા નાગરીક બેંક પાસે “સ્વચ્છતા નું પ્રતીક” નામ થી ચાલતું શૌચાલય ગંદકી માં નંબર વન:પાલિક તંત્ર નિષ્ક્રિય..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!