Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેમિકલના કારનામાએ અંકલેશ્વર જીઆઈડીસીના માર્ગો પર ફરતા શ્વાનને લાલ કરી મુક્યા

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવેલ જીઆઈડીસી વિસ્તાર પર્યાવરણ માટે કેટલી હદે ઘાતક સાબિત થઈ રહ્યો છે તેના જીવતા જાગતા પુરાવા ત્યાંના રસ્તાઓ ઉપર રખડતા શ્વાન જોઈ એ તો બધું જ સમજી જવાય તેમ છે, એક તરફ પ્રદુષિત જળથી માછલીઓના મોત અમરાવતી નદીમાં થતા હોવાનું સામે આવી રહ્યું છે તો બીજી તરફ માર્ગો પરના પશુઓ પણ કેમિકલની ચૂંગાલમાં કલરીંગ અવતારમાં જોવા મળી રહ્યા છે.

અંકલેશ્વરમાં પ્રદુષણ મામલે અવારનવાર જાગૃત નાગરિકો સહિત વિપક્ષ દ્વારા હલ્લાબોલ કરવામાં આવતા હોય છે તેમ છતાં પ્રદુષણની માત્ર ઠેરની ઠેર જ જોવા મળતી આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પ્રદુષણ ઓકતા ઉધોગો તંત્રની નજરમાં ચઢતા હોય છે તો તેઓને પણ માત્ર ક્લોઝર નોટિશો પૂરતી જ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું કહેવાય રહ્યું છે, તેવામાં વધતા પ્રદુષણના કારણે હવે પશુઓ પોતાનું રંગ બદલી જોખમી રીતે જીઆઈડીસી વિસ્તારમાં ફરતા નજરે પડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાજ્યસભાનાં સાંસદ અહમદભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં વરસેલા એક જ વરસાદમાં ભરૂચની દશા બગડી : તંત્રની પોલ ખૂલી

ProudOfGujarat

મહાત્માગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની વિવિધ જેલમાંથી 158 કેદીઓને મુક્ત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!