Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીનાં ગણદેવીમાં સતત વરસાદ પડતા મકાન ધરાશાયી થતાં 7 લોકોનો આબાદ બચાવ

Share

નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા અમુક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને કાળઝાળ ગરમી અને બફારાથી રાહત મળી છે. લોકો પણ વરસાદી માહોલની મજા માણી રહ્યા છે. પરંતુ, બીજી તરફ આ વરસાદી વાતાવરણ કેટલાક લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યું છે. નવસારીમાં સતત વરસાદ પડતા એક મકાન ધરાશાયી થતા 7 લોકોના જીવ પર જોખમ મંડરાયું હતું, જો કે, આ દુર્ઘટનામાં તમામનો આબાદ બચાવ થયો હોવાની માહિતી મળી છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા જલારામ મંદિરની સામે તલાવિયા પરિવાર રહે છે. વરસાદ પડતા તલાવિયા પરિવારનું મકાન ધરાશાયી થયું. મકાન કાચુ હોવાથી પડ્યું હતું, જેના કારણે તમામ ઘરવખરી અને સામાનને નુકસાન પહોંચ્યું છે. રાહતની વાત એ છે કે આ ગોઝારી દુર્ઘટનામાં પરિવારના 7 લોકોનો આબાદ બચાવ થયો છે. આરોપ છે કે મકાન જર્જરિત થતા સંબંધિત વિભાગમાં નવા મકાન માટે અરજી કરવામાં આવી હતી.

Advertisement

પરંતુ, આ અરજી પર કોઈ પગલા ન લેવાતા વરસાદ પડતા જર્જરિત મકાન પડી ગયું છે. સરકાર દ્વારા આ વિસ્તારમાં સરવે કરવામાં આવે તેવી માગ હવે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. હજું તો ચોમાસું શરૂ થયું છે ત્યારે એક મકાન ધરાશાયી થયું છે. ત્યારે જર્જરિત મકાનોમાં રહેતા લોકો સામે એક મોટો સવાલ ઊભો થયો છે. જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


Share

Related posts

હાંસોટ તાલુકાની પાંજરોલી પ્રા.શાળાના શિક્ષકનું ઉમિયા પરિવાર ટ્રસ્ટ ઉમિયાધામ સુરત દ્વારા ઉમારત્ન એવોર્ડથી સન્માન કરાયુ.

ProudOfGujarat

અમરેલીના રાજુલા માર્કેટીંગ યાર્ડ સર્કલ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!