Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ અસુરીયા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું.

Share

ભરૂચ

ને.હાઇવે નંબર 8 પર અાવેલા ભરૂચ તાલુકાના અસુરીયા ગામના પાટીયા પાસે એક અજાણ્યા વાહનની ટક્કરે એક મહિલાનું કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

Advertisement
બનાવની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રીના 9.45 વાગ્યાની અાસપાસ ભરૂચ તાલુકાના અસુરીયા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરી જઇ રહેલા ભરૂચના ઝાડેશ્વર ગામમાં શ્રી નાથજી સોસાયટીમાં રહેતા શેજલબેન અલ્પિતભાઇ ચંદ્રકાંત પટેલ ઉ.વ. 37 ને કોઇક અજાણ્યા ફોર વ્હિલ વાહનના ચાલકે અડફેટે લેતા શેજલબેનને થયેલી ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું.
ઘટનાની જાણ થતા નબીપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતક શેજલબેનના મૃતદેહને પી એમ અર્થે  ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જે બાબતની ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અજાણ્યા ફરાર વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે..
હારૂન પટેલ

Share

Related posts

ભરૂચ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ શ્રવણ ચોકડી વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

ભરૂચની એમિટી સ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!