Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

Share

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે. ગામના 10 થી 12 લોકોને વાનરે બચકાં ભરતા વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આથી ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બચકાં ભરનારા કપિરાજને ગણતરીના કલાકોમાં જ પાંજરે પૂરી દેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી મુજબ, વાઘોડિયાના ગણેશપુરા ગામમાં છેલ્લા ઘણા દિવસથી કપિરાજ તોફાની બની જતા આતંક મચાવ્યો હતો. તોફાની વાંદરાએ ગ્રામજનો પર હુમલો કરી 10 થી 12 લોકોને બચકાં ભર્યા હતા. આથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘરમાંથી બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. આ મામલે વડોદરા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગની એક ટીમ ગામમાં પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

Advertisement

તોફાની વાંદરાને પાંજરે પુરવા માટે વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું. જોકે, ગણતરીના સમયમાં જ તોફાની વાંદરો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાંજરે પૂરાયેલા તોફાની વાંદરાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગ દ્વારા વાંદરાને તેના વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે એવી માહિતી આપી હતી.


Share

Related posts

હાર્દિકની માંગ અને અલ્પેશની જેલ મુક્તિ માટે સુરતની શાળા કોલેજો બંધ, વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન….

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ પોલીસે રૂ. ૨,૯૭,૬૦૦ નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા પરવીન બાબીની બાયોપિક માટે લીડ એક્ટ્રેસ ફોટોકોલ લોન્ચ તરીકે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!