Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢનાં વંથલીમાં શાળાની છત ધરાસાયી થતાં 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી

Share

ચોમાસામાં વારંવાર દીવોલ કે છત પડવાની ઘટનાઓ બની રહી છે. તેવામાં જૂનાગઢના વંથલીમાં શાળાની છત ધરાસાયી થતા 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી.

જૂનાગઢના વંથલીમાં એકે ત્રાંબડીયાની શાળાની છત ધરાસાયી થઈ હતી. જોકે, છત ધરાસાયી થતા તત્કાલ જે બાળકોને ઈજા પહોંચી છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ હતી.

Advertisement

ખાસ કરીને ચોમાસા દરમિયાન સતત કાચા મકાનોની દિવાલો ધરાસાયી થવી તેમજ દિવાલ કે છતને ભેજ લાગવાથી દિવાલ ભારે થઈ જવાથી પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે લોકોનો જીવ પણ જોખમમાં આવી રહ્યો છે પરંતુ ચોમાસા દરમિયાન આ સ્થિતિ સ્કૂલમાં જ જોવા મળતા અનેક સવાલો પણ ઉભા થયા છે. શાળાઓમાં જ્યાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યાં દરેક બાબતોની સેફ્ટી હોવી પણ જરુરી છે ત્યારે આ સ્થિતિ જોવા મળતા સેફ્ટીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.

ત્યારે ગુજરાતમાં આ ચોમાસા દરમિયાન રાજ્યભરમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં પંચમહાલમાં તાજેતરમાં જ જીઆઈડીસીમાં પણ આ પ્રકારે દિવાલ ધરાસાયી થઈ હતી જેમાં છાપરા દિવાલને ટેકન લગાવીને બનાવવામાં આવ્યા હતા. જેમાં રહેલા બાળકનું દટાવાથી મોત પણ નિપજ્યું હતું. જો કે જૂનાગઢની વંથલીની શાળામાં ફક્ત બાળકોને ઈજા થઈ હોવાનું જ સામે આવ્યું છે.


Share

Related posts

ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભરૂચને એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ.

ProudOfGujarat

વડોદરા પેન્શન વિભાગના કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

ભરૂચ : નબીપુરનાં એક આશાસ્પદ ઇસમે બિરલા ગ્રાસિમ કંપનીમાં આત્મહત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!