Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ગુરુકુલના શાસ્ત્રી જયસ્વરૂપદાસે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા અપીલ કરી

Share

ભારત દેશભક્ત નાગરિકોનો દેશ છે. જેના પ્રત્યેક વ્યક્તિના લોહીમાં રાષ્ટ્રભક્તિ વહે છે. ગત વર્ષે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા આયોજિત હર ઘર તિરંગા અભિયાનને દેશવાસીઓએ ખૂબ જ સફળ બનાવી દેશની ગરિમાને જાળવી હતી. આવનારા ગરિમાયુક્ત 25 વર્ષોને યુગપુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળ એવું સાર્થક નામ આપ્યું છે.

તેથી આ વર્ષે પણ કેન્દ્ર સરકાર મેરી માટી મેરા દેશ અભિયાનની સાથે આઝાદીનો રાષ્ટ્રીયપર્વ મનાવશે. તે અંતર્ગત આપણે સૌ ભારતવાસીઓ હર ધર તિરંગા અભિયાન ચલાવીએ, વૃક્ષારોપણ અભિયાન ચલાવીએ, કળશયાત્રાનું આયોજન કરીએ, ભૂમિ પૂજન-વંદનનું આયોજન કરીએ, આ દેશની રક્ષા કાજે માટીમાં પોતાના જીવન ન્યોચ્છાવર કરી દેનારા વીરસપૂતોને માન સાથે વંદન કરવાના કાર્યક્રમોનું આયોજન કરવા અંકલેશ્વર ગુરુકુલના શાસ્ત્રી જયસ્વરૂપદાસે સૌ દેશભક્તોને અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને લીંબડી વીસીઈ મંડળ દ્વારા મંડળ પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ટેન્કર સળગવાની ઘટનામાં ઘેરુ બનતુ રહસ્ય.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે અહેમદ પટેલ દ્વારા ધ્વજ વંદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!