Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ અને અલવા માર્ગ પર ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોતથી શોકનો માહોલ છવાયો

Share

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લાના હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ ચાલુ વર્ષે વધુ જોવા મળ્યું છે તેવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના હાંસોટ તાલુકામાંથી સામે આવતા પંથકમાં ગમગીની સાથે શોકનો માહોલ છવાયો છે.

સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાંસોટ અને અલવા ગામ વચ્ચે આજે બપોરના સમયે બે કાર સામ સામે ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા તેમજ ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ઘટના અંગેની જાણ હાંસોટ પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ ઉપર રવાના થયો હતો તેમજ સમગ્ર મામલા અંગેની વધુ તપાસ હાથધરી હતી, હાલ પ્રાથમિક સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ભરૂચનાં મુસ્લિમ પરિવારને આ અકસ્માત નડ્યો હતો જે બાદ તેઓને હાંસોટ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે મામલે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

શેખર કપૂર ‘માસૂમ – ધ નેક્સ્ટ જનરેશન’ પર: ઓળખ અને ઘર વિશેની એક ઊંડી ભાવનાત્મક સફર

ProudOfGujarat

માંગરોળ ખેડૂત સમાજ અને કોંગ્રેસ સમિતિ દ્વારા જમીન કાયદામાં જે સુધારો કર્યો છે એ રદ કરવાની માંગ સાથે માન્નીય શ્રી રાજ્ય રાજ્યપાલને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિ ની સ્થાપના થતા લોકટોળા જોવા ઉમટ્યા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!