Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પોલીસ સ્ટેશનમાં PSO ઉપર હુમલો, ઈજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ ખસેડાયા

Share

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી. અસામાજિક પ્રવૃત્તિ બાબતે PCR દ્વારા પોલીસ સ્ટેશનને સોંપાયેલ વ્યક્તિએ હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસકર્મી ભીમસિંગ રામસિંગભાઈ ઈજાગ્રસ્ત થયા છે જેમને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્ત પોલીસ કર્મી અને હુમલા ખોર વચ્ચે પ્રથમ પોલીસ મથકમાં જ શાબ્દિક યુદ્ધ સર્જાયુ હતું જે બાદ અચાનક ઉશકેરાયેલ વ્યક્તિ એ પોલીસ કર્મીના માથાના ભાગે લોખંડ જેવા વસ્તુથી સપાટો મારતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા જે બાદ અન્ય પોલીસ કર્મીઓની મદદથી ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝગડિયા જી આઈ ડી સી ના અસર ગ્રસ્ત ગામો મળવાપાત્ર ગ્રાન્ટો થી વંચિત કેમ? તંત્ર નું દુર્લક્ષ્ય કે પ્રજા માં જાણકારી નો અભાવ?

ProudOfGujarat

વાપીના ગીતાનગરમાં કાઉન્સિલરની છત્રછાયા હેઠળ ચાલતા કૂટણખાના પર જનતા રેડ

ProudOfGujarat

ભરૂચ:શ્રી ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીએ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!