Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના ૬૦ થી વધુ બીએલઓ સુપરવાઈઝરના સામૂહિક રાજીનામાથી હડકંપ

Share

નાંદોદ તાલુકાના ૬૦ થી વધુ બીએલઓ સુપરવાઇઝર દ્વારા આજે રાજીનામાં ધરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. આજે નાંદોદ મામલતદાર કચેરીએ શિક્ષકોએ સામૂહિક રીતે ભેગા મળી બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરતું આવેદન પત્ર આપ્યું હતું.

રજુઆતમાં જણાવ્યું હતું કે (૧) ગુજરાતના ચૂંટણી પંચના વખતો- વખતનાં પરીપત્રો મુજબ ૩ વર્ષ બી.એલ.ઓ ની કામગીરી કર્યા બાદ તે બી.એલ.ઓને મુક્તિ આપી રોટેશન મુજબ અન્ય કર્મચારીને કામગીરી સોંપવામાં આવે (૨) ગુજરાતના ચુંટણી પંચના તા ૨૨-૧૦-૨૦૨૨નાં પત્ર ક્રમાંક :- ઇએલસી/૧૦૨૨૪૨૬૫/ અન્વયે સૂચવેલ યાદી મુજબના સરકારી અર્ધ સરકારી કર્મચારીઓની બી.એલ.ઓ તરીકે નિમણૂંક આપવા તેમજ ઉપરોક્ત પત્ર મુજબ શિક્ષકોને બીએલઓ તરીકે ઓછામાં ઓછા સૂચિત કરવા જણાવેલ છે જે મુજબ ઘટતી કાર્યવાહી ઉપરાંત (૩) H to H સર્વેની કામગીરીમાં વળતર રજા અને ભથ્થા ચૂકવવા મુખ્ય રજુઆત કરી હતી.

Advertisement

Share

Related posts

પાનોલી જીઆઇડીસીમાં સ્થાનિકોને રોજગારીનાં મુદ્દે કોંગ્રેસ અગ્રણી પરેશભાઇ ધાનાણીએ શ્રમ રોજગાર મંત્રી અને મુખ્ય સચિવને રજુઆત કરી.

ProudOfGujarat

વાલીયા તાલુકાના વટારીયા ગામે શ્રી ગણેશ સુગર- વટારીયાના સંયુકત ઉપક્રમે સેવા-રૂરલ- ઝઘડીયા દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!