Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Share

રાજ્યભરમાં એક માત્ર ભરૂચમાં વર્ષોથી ગૌરવભેર ઉજવાતા ઉત્સવમાં હિંગળાજ માતાની શોભાયાત્રામાં માનવ મહેરામણ છલકાઇ ઊઠ્યું હતું. શ્રાવણ વદ ચોથે ગુજરાતભરમાં ભરૂચમાં જ વર્ષોથી ઉજવાતા કાજરા ચોથની ભરૂચમાં વસતા ક્ષત્રિય (ખત્રી) સમાજ દ્વારા સિંઘવાઈ માતાના મંદિરેથી હિંગળાજ માતાની ભવ્ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી હતી. કારખાના પ્રતિક અને વરઘોડાને લઇ કબીરપુરા, ખત્રીવાડ તરફ ક્ષત્રિય સમાજનાં લોકોએ પ્રયાણ કરશે. કબીરપુરામાં દરેક સમાજના ઘરે કાજરાના પ્રતિકનું નમન કરાવવામાં આવ્યા બાદ છેલ્લે બરાનપુરા ખત્રીવાડમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી હતી.

કાજરાના પ્રતિક લઈ નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ નગરમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. સિંઘવાઈ માતાના મંદિરે તમામ ક્ષત્રિય સમાજના ભાઈ – બહેનોએ ઉમટી પડી કાજરાના પ્રતિક અને હિંગળાજ માતાની પૂજા અર્ચના કરી ભારે ઉત્સાહભેર કાજરા ચોથની ઉજવણી કરી હતી. કાજરા ચોથ અંગે શાસ્ત્રોમાં ઉલ્લેખ શાસ્ત્રોમાં થયેલાં ઉલ્લેખ મુજબ પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો હિંગળાજ માતાની શરણે આવ્યા હતા. ચૈત્ર વદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગળાજ માતાજીનું સ્થાપન કર્યું હતું. ક્ષત્રિયોના બધા શસ્ત્રો છીનવાઇ જતા હિંગળાજ માતાએ આજીવિકા માટે હાથવણાટનો હુન્નર બતાવ્યો હતો. સૌથી પહેલા નવ દિવસની મહેનત બાદ એક ચૂંદડી બનાવાઇ હતી. જે ચૂંદડી શ્રાવણ વદ ચોથનાં દિવસે સમાજના લોકો દ્વારા માતાજીને ઓઢાડવામાં આવી હતી. ત્યારથી ભરૂચમાં વસતો ક્ષત્રિય (ખત્રી) સમાજ કાજરા ચોથના નામે ઉત્સવની ઉજવણી કરે છે.

Advertisement

Share

Related posts

પાણી પ્રદૂષણ અંગે વિડિયો વાયરલ કરવો યુવકને પડયો ભારે, સાત શખ્શોએ માર મારતાં પોલીસમાં કરી ફરિયાદ

ProudOfGujarat

ગરૂડેશ્વર રાજપીપળા રોડ પર નર્મદા શોરૂમ સામે સરકારી બસ કન્ટેનરમાં ઘુસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા પનીરનાં 42 નમૂના લઈ લાઈસન્સ વિનાની 4 દુકાનો બંધ કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!