Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના વાડી ગામની પરણીતા ગુમ થતા પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી

Share

વાડી ગામના વાડી ફળિયામાં રહેતી પરણીતા સ્મિતાબેન સંજયભાઈ વસાવા ઉમર વર્ષ 25 તારીખ 27 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ કલાકે ઘરના સભ્યોને કોઈ પણ જાતની જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. પરિવારજનોએ પરણીતાની લાંબી શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય પત્તો ન લાગતા આખરે પતિ સંજયભાઈ વસાવા ઉમરપાડા પોલીસમાં ગુમ થયા અંગેની જાણવાજો ફરિયાદ નોંધાવી છે. ગુમ થયેલ પરિણીતા એ સફેદ કલરમાં કાળા ટપકાવાળો પંજાબી ડ્રેસ પહેરેલ છે અને કમરે સફેદ કલરની લેગીસ પહેરી છે ઊંચાઈ ચાર ફૂટ પાંચ ઇંચ છે રંગે ઘઉંવર્ણી અને મજબૂત બાંધાની છે વસાવા બોલી બોલે છે અને ગુજરાતી જાણે છે. ગુમ થયેલ પરિણીતા મળી આવે તો ઉમરપાડા પોલીસનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ સહીત અંકલેશ્વર પંથકમાં નવરાત્રી પર્વ પર લાગી બ્રેક : વીજ કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી : નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.

ProudOfGujarat

પત્રકાર એકતા સંગઠન– ગુજરાત ભરૂચ જિલ્લાનું સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ માહિતી વિભાગ કચેરી ખાતે યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભડકોદ્રા ગામના કોતરમાં છુપાવેલ દારૂનો જંગી જથ્થો શોધી કાઢતી અંકલેશ્વર GIDC પોલીસ ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!