Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાંથી જુગારધામ ઝડપાયું, ક્રાઇમ બ્રાંચ દ્વારા છ જુગારીની ધરપકડ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

Share

ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સતત જિલ્લાના વિવિધ પોલીસ મથકોને માર્ગદર્શન આપી ગુનેગારી તત્વોને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં અંકલેશ્વર ખાતેથી ક્રાઇમ બ્રાંચ દ્વારા જુગાર ધામ ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ રચના નગરમાં ભૂત બંગલો બહાર લાઈટના પ્રકાશમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા છ જેટલાં ઈસમોને ઝડપી પાડ્યા હતા.

Advertisement

ક્રાઇમ બ્રાંચ્ચે મામલે (1) શોભણસિંહ બિન્દ્રાવનસીંગ ચૌહાણ રહે, જુના બોરભાઠા અંકલેશ્વર (2) દેવેન્દ્ર કુમાર ત્રિવેદી પ્રસાદ રાજપૂત રહે,વિજય નગર અંકલેશ્વર (3) સોનુ સીંગ છોટા સીંગ રહે, વિજય નગર અંકલેશ્વર (4) બીરેન સીંગ સંતોષ સીંગ રહે, રચના નગર અંકલેશ્વર (5) રામ કુમાર ગોપી પ્રસાદ બગેલ રહે,લક્ષ્મણ નગર અંકલેશ્વર તેમજ (6) ઇમ્તિયાઝ ખાન કુકમ ખાન રહે, લક્ષ્મણ નગર અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી કુલ 12,470 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

વડોદરાના નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીના મુદ્દે મહિલાઓનો કલેકટર કચેરીએ હલ્લાબોલ.

ProudOfGujarat

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ 43 ટ્રેન રદ, 38 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ, PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે

ProudOfGujarat

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!