Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ બિલોદરા જેલમાં કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો

Share

નડિયાદ બિલોદરા જેલમાં કાચા કામના આરોપીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે. નડિયાદ બિલોદરા જેલમાં આણંદથી ટ્રાન્સફર કરાયેલ આરોપી અમિત ગુલાબસિંહ મકવાણા, (ઉ. વ,૧૮) ને બેરેક નંબર ૪ માં રાખવામાં આવ્યો હતો. બેરેકની પાછળ આવેલા ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. બનાવની જાણ ઈન્ચાર્જ જેલરને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નડિયાદ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. લાશને ઝાડ પરથી નીચે ઉતારી પંચ કેસ કર્યા બાદ પીએમ માટે મોકલી આપી હતી. જેલમાં ગળે ફાંસો ખાનાર અમિત મકવાણા સામે ભાદરણ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો. તેને પાંચ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ટ્રાન્સફર વોરંટ પરથી નડિયાદ નજીક બિલોદરા જેલમાં લાવવામાં આવ્યો હતો. અમિત મકવાણાએ કયા કારણસર ગળે ફાંસો ખાધો એ પ્રશ્ન મહત્ત્વનો બન્યો છે. એવી પણ ચર્ચા ચાલે છે કે તેને કોઈ મળવા આવ્યો હોય અને માનસિક ટોર્ચર આપ્યો હોય તેના કારણે આ
પગલું ભર્યું હોવાની શક્યતા તેજ બની ગઈ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપારડીના નાનકડા રોજદાર

ProudOfGujarat

રાજપીપળા વડ ફળિયા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી દુષિત પાણી આવતાં રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને કરી રજુઆત

ProudOfGujarat

અંકલેશ્વરમાં મોંઘવારીને લઇ યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસે કાર્યકરોની કરી અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!