Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નંદેલાવ ઓવરબ્રિજ પર મસમોટા ખાડાનાં કારણે ટ્રાફિકજામ સર્જાયો.

Share

ભરૂચ જીલ્લામાં હાલમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ટ્રાફિકની સમસ્યા જણાઈ રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 15 કી.મી. સુધીનો ટ્રાફિક થઈ જતાં ટ્રાફિકજામ થઈ જાય છે તો કેટલીકવાર ગોલ્ડન બ્રિજ પર પણ વાહનોની લાંબી કતારો ખડી થઈ જાય છે. ત્યારે હવે ફલાય ઓવરબ્રિજનાં બિસ્માર રસ્તાને કારણે ટ્રાફિકજામની સમસ્યા વધુ વકરી છે. નંદેલાવ ઓવરબ્રિજ પર મસમોટા ખાડા પડેલ છે જેના કારણે સળિયા દેખાવા માંડયા છે

કેટલાક સમય અગાઉ આ ખાડાઓનું સમારકામ કરી ખાડા પૂરી દેવાયા હતા પરંતુ વરસાદ વરસતા ફરી ખાડામાં પૂરેલ કપચી સહિતનું મટીરિયલ બહાર આવી જતાં ફરી ઊંડા ખાડા થતાં ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી રહી છે. તંત્ર દ્વારા ખાડા પુરવા અંગે ટકાઉ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

આમ આદમી પાર્ટી પ્રદેશ કક્ષાના સંગઠન મંત્રી અર્જુન રાઠવા આપની કરજણ બેઠકમાં રહ્યા હાજર.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસે દેશી દારૂ વેચતાં ૧૩ ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!