Proud of Gujarat
FeaturedGujaratINDIA

હૈદરાબાદમાં નામપલ્લીના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતાં 6 નાં મોત, ત્રણ ગંભીર

Share

હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમા એક એપાર્ટમેન્ટમાં ભીષણ લાગતા છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે.

તેલંગાણાના હૈદરાબાદમાં આજે સવારે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડિંગમાં સ્થિત એક વેરહાઉસમાં લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હતા. ફાયર વિભાગની અનેક ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક વિગતો અનુસાર આ ઘટના હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં બની હતી. અહીં એક કારના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નજીકમાં રાખેલા કેમિકલમાં આગ લાગી હતી. હાલ 3ની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-ભાડભૂતમાં 2000થી  વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે શિવ શક્તિ મંડળ દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને દર્દીઓનાં હિતાર્થે વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સનું દાન મળ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!